Bhavnagar : કમોસમી વરસાદ બાદ ડુંગળીના પાક પર 'બાફીયો' રોગનો કહેર, ખેડૂતોને મોટું નુકસાન
Bhavnagar : ભાવનગર જિલ્લાના ખેડૂતો બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યાં કમોસમી વરસાદ બાદ ડુંગળીના પાક પર 'બાફીયો' રોગ ફેલાતા મોટું સંકટ ઊભું થયું છે. જિલ્લાના મુખ્ય ડુંગળી ઉત્પાદક વિસ્તારો જેવા કે મહુવા અને તળાજા સહિત કુલ 5 તાલુકાના ખેડૂતોને આ રોગને કારણે પાકમાં વ્યાપક નુકસાન થયું છે.
Advertisement
- ભાવનગરમાં ડુંગળી પાક પર બાફીયો રોગનો કહેર
- કમોસમી વરસાદ બાદ બાફીયો રોગ
- મહુવા-તળાજામાં ખેડૂતોને મોટું નુકસાન
- માર્કેટમાં ભાવ ન મળતા ખેડૂતોને મોટું નુકસાન
- ભાવનગર જિલ્લાના 5 તાલુકામાં ડુંગળી પર સંકટ
- સરકાર તાત્કાલિક મદદ કરે તેવી ખેડૂતોની માગ
Bhavnagar : ભાવનગર જિલ્લાના ખેડૂતો બેવડી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યાં કમોસમી વરસાદ બાદ ડુંગળીના પાક પર 'બાફીયો' રોગ ફેલાતા મોટું સંકટ ઊભું થયું છે. જિલ્લાના મુખ્ય ડુંગળી ઉત્પાદક વિસ્તારો જેવા કે મહુવા અને તળાજા સહિત કુલ 5 તાલુકાના ખેડૂતોને આ રોગને કારણે પાકમાં વ્યાપક નુકસાન થયું છે.
એક તરફ રોગચાળાને કારણે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને બીજી તરફ માર્કેટમાં પણ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોની માગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે આ ગંભીર નુકસાનની નોંધ લે અને સર્વે કરીને તેમને આર્થિક સહાય પૂરી પાડે, જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે.
Advertisement
આ પણ વાંચો : Bhavnagar: લગ્નના દિવસે જ પતિએ યુવતીની ઘાતકી હત્યા કરી નાખી! જાણો સમગ્ર ઘટના વિશે
Advertisement


