Ahmedabad : ભુવો પડતા લોકોએ AMCની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભુવો પડ્યો છે. માનસી સર્કલ પાસે ગોયલ ટાવર પર ભુવો પડતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા.
08:00 PM May 06, 2025 IST
|
Vishal Khamar
અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. માનસી સર્કલ પાસે આવેલ ગોયલ ટાવર પાસે ભૂવો પડ્યો હતો. ગોયલ ટાવરમાં આવેલ દુકાન બહાર જ ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા વેપારીઓ ચિંતામા મુકાયા હતા. AMC દ્વારા ભૂવો પડતા કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે કોર્ડન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પડેલ વરસાદમાં ભૂવો પડ્યો હતો. આ જગ્યા પર પહેલા પણ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજની કામગીરી યોગ્ય ના થતા તે જગ્યા પર ફરી ભૂવો પડ્યો છે.
Next Article