એકનાથ શિંદેને મોટો ફટકો, લોકસભામાં ચૂંટાયેલા શિવસેનાના નેતા પર દુષ્કર્મનો આરોપ
મહારાષ્ટ્રના
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે માહિતી આપી હતી કે શિવસેના સાંસદ રાહુલ શેવાલે
લોકસભામાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. શેવાલે શિંદે જૂથના નેતા છે. શિંદેના આ
નિવેદન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દુબઈથી પરત ફરેલી 26 વર્ષની એક મહિલાએ રાહુલ શેવાલે પર
બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ સાથે સીએમ શિંદેને પત્ર લખીને ફરિયાદ પણ કરવામાં
આવી છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે સાંસદે આરોપોને નકારી કાઢ્યા છે. મુંબઈના
સાકીનાકા પોલીસ સ્ટેશનમાં પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. જો કે હજુ સુધી એફઆઈઆર
નોંધાઈ નથી.
મળતી
માહિતી મુજબ, 26 વર્ષની એક મહિલાએ શિવસેનાના લોકસભા
સાંસદ રાહુલ શેવાળે પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે કહ્યું કે સાંસદે આરોપ
નકારી કાઢ્યા. મહિલાએ ઉપનગરીય મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં શેવાલે વિરુદ્ધ
બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, એમ
એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી
અને પોલીસે હજુ સુધી ફરિયાદની તપાસ શરૂ કરી નથી.એક
નિવેદનમાં, શેવાલેએ બળાત્કારના આરોપને નકારી
કાઢ્યો અને ફરિયાદને તેમની રાજકીય છબીને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું. તે જ
સમયે, મુંબઈ દક્ષિણ મધ્યના સંસદસભ્યએ કહ્યું
કે તેઓ કોઈપણ પોલીસ તપાસનો સામનો કરવા માટે તૈયાર છે અને કહ્યું કે ષડયંત્ર પાછળના
લોકોનો પર્દાફાશ કરવામાં આવશે.
નોંધનીય
છે કે મંગળવારે સીએમ એકનાથ શિંદેએ મોટી માહિતી આપી હતી કે રાહુલ શેવાળેને ઓમ
બિરલાએ શિવસેનાના નેતા તરીકે પસંદ કર્યા છે. આ માટે શિવસેનાના 12 સાંસદોએ રાહુલ શેવાળેને લોકસભામાં
પાર્ટીના નેતા તરીકે પસંદ કરવા માટે સ્પીકરને પત્ર લખ્યો હતો. શેવાલે શિંદે જૂથના
નેતા છે.