કૂતરાને કચરામાંથી બહાર કાઢીને આ માણસે સાબિત કર્યું કે માનવતા હજુ પણ જીવંત છે
અત્યારએ 21મી સદી ચાલી રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં અપરાધના કિસ્સાઓ વધી રહ્યા છે, હવે લોકો માત્ર એકબીજામાં જ નહીં પણ માનવતામાં પણ વિશ્વાસ ગુમાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે . ઘણીવાર એવું થાય છે કે લોકોની ભલાઈ અને માનવતા જોઈને એવું માનવામાં આવે છે કે જાણે માનવતા મારી પડી હોય .ત્યારે હજુ પણ આ ધરતી પર એવા લોકો છે જે માત્ર માણસો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ વિચારે છે અને તà«
02:46 PM Apr 26, 2022 IST
|
Vipul Pandya
અત્યારએ 21મી સદી ચાલી રહી છે ત્યારે સમગ્ર વિશ્વમાં અપરાધના કિસ્સાઓ વધી રહ્યા છે, હવે લોકો માત્ર એકબીજામાં જ નહીં પણ માનવતામાં પણ વિશ્વાસ ગુમાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે . ઘણીવાર એવું થાય છે કે લોકોની ભલાઈ અને માનવતા જોઈને એવું માનવામાં આવે છે કે જાણે માનવતા મારી પડી હોય .ત્યારે હજુ પણ આ ધરતી પર એવા લોકો છે જે માત્ર માણસો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ વિચારે છે અને તેમના જીવનની સુરક્ષા માટે પોતાનો જીવ આપે છે. આવો જ એક વીડિયોમાં સોશિયલ મીડિયાની દુનિયામાંથી સામે આવ્યો છે, જે માનવતામાં વિશ્વાસ વધારે છે.
આ વીડિયોમાં એક બીમાર અને ભૂખ્યા કૂતરાનું જીવન બદલાતું જોવા મળી રહ્યું છે . વીડિયોમાં આપણે જોઈ છીએ કે કેવી રીતે કુપોષણ અને બીમારીથી પીડિત કૂતરો ભૂખ છીપાવવા માટે કચરાના ઢગલામાંથી ખોરાક બહાર કાઢતો જોવા મળી રહ્યો છે . ત્યારે આ વ્યક્તિ કૂતરાને' કચરાના ઢગલામાંથી બહાર કાઢે છે અને ઘરે લાવે છે અને પહેલા તેમને ખવડાવે છે. અને તેમને ખવડાવે પણ છે અને કૂતરાના ઘા પર પટ્ટી પણ બાંધે છે . દવાની સાથે આ વ્યક્તિ કુતરાઓને પૌષ્ટિક ખોરાક પણ આપે છે .
આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવ્યો છે, વીડિયો પર 54 હજારથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે અને લોકો તેને સતત જોઈ રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ કૂતરાને બચાવનાર વ્યક્તિના વખાણ પણ કરી રહ્યા છે.
Next Article