અમદાવાદમાં નહીં યોજાય અભદ્રતાથી ભરેલો કોમેડી શૉ
- અમદાવાદમાં નહીં યોજાય અભદ્રતાથી ભરેલો કોમેડી શૉ
- યુટ્યૂબર સમય રૈનાનો વાહિયાત શૉ અમદાવાદમાં રદ્દ
- સુરતના નીરવ રાજગોરે અમદાવાદમાં કર્યું હતું આયોજન
- સ્ટેજ હોલિક ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રદ્દ કરાયો શૉ
- વિવાદને લીધે હવે શૉ નહીં યોજાયઃ નીરવ રાજગોર
- અમદાવાદમાં ઓડાનો ઓડિટોરિયમ કરાયો હતો બૂક
- સમય રૈના ગુજરાતમાં કોમેડીના નામે નહીં ફેલાવે અભદ્રતા
Ahmedabad : યુટ્યૂબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો શો અમદાવાદમાં રદ્દ કરવામાં આવ્યો છે. આ શોનું આયોજન સુરતના ઈવેન્ટ ઓર્ગેનાઈઝર નીરવ રાજગોરે કર્યું હતું અને તે અમદાવાદના ઓડાના ઓડિટોરિયમમાં યોજાવાનો હતો. જોકે, શોના કન્ટેન્ટ અંગે ઉઠેલા વિવાદને કારણે સ્ટેજ હોલિક ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આયોજક નીરવ રાજગોરે સ્પષ્ટ કર્યું કે, અમદાવાદમાં આ શો હવે યોજાશે નહીં. સમય રૈનાની કોમેડી શૉમાં અભદ્રતા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે ગુજરાતમાં તેના શોને લઈને વિપરીત પ્રતિસાદ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં અભદ્ર શો રદ્દ
યુટ્યૂબર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાનો અમદાવાદમાં યોજાનારો કોમેડી શો હવે રદ્દ કરવામાં આવ્યો છે. આ શોનું આયોજન સુરતના ઇવેન્ટ ઓર્ગેનાઈઝર નીરવ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે અમદાવાદના ઓડાના ઓડિટોરિયમમાં યોજાવાનો હતો. આયોજક નીરવ રાજગોરે જણાવ્યું કે, હવે આ શો અમદાવાદમાં યોજાશે નહીં. સમય રૈનાની કોમેડી શૉને લઇને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે અભદ્રતા ફેલાવી રહ્યો હતો, જેને કારણે ગુજરાતમાં પ્રેક્ષકોની નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી.