Gujarat Budget 2026 પર Congress Leader Tushar Chaudhary નું નિવેદન
- Gujarat Budget 2026 પર Congress Leader Tushar Chaudhary નું નિવેદન
- બજેટમાં ફરી આંકડાની માયાજાળ રચાશે: તુષાર ચૌધરી
- ગરીબ મધ્યમ વર્ગને કઈ મળવું જોઈએ: તુષાર ચૌધરી
- ખેડૂતોના દેવા માફીની જાહેરાત થવી જોઈએ: તુષાર ચૌધરી
- શિક્ષિત બેરોજગાર માટે જાહેરાત કરવી જોઈએ: તુષાર ચૌધરી
Gujarat Budget 2026 : ગુજરાત બજેટ 2026 અંગે કોંગ્રેસના નેતા Tushar Chaudhary એ રાજ્ય સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું કે, આવનારા બજેટમાં ફરી એકવાર આંકડાની માયાજાળ ઊભી કરીને હકીકત છુપાવવાનો પ્રયાસ થશે, જ્યારે જમીન પર સામાન્ય નાગરિકની મુશ્કેલીઓ યથાવત છે. તેમણે કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીથી રાહત મળે તેવા સ્પષ્ટ પગલાં બજેટમાં જોવા જોઈએ, માત્ર વચનો નહીં. ખેડૂતોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે દેવા માફીની સ્પષ્ટ જાહેરાત કરવાની માંગ કરી અને જણાવ્યું કે કૃષિ ક્ષેત્રને સાચો આધાર મળશે તો જ ગ્રામિણ અર્થતંત્ર મજબૂત બનશે. સાથે જ શિક્ષિત બેરોજગારો માટે રોજગાર સર્જન અને નવી ભરતી અંગે ચોક્કસ જાહેરાતો કરવાની જરૂર હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું. Indian National Congress ના નેતા તરીકે ચૌધરીએ ઉમેર્યું કે જો બજેટ લોકોના દૈનિક જીવનને સ્પર્શતું નહીં હોય તો તે માત્ર કાગળ પરનું આયોજન બની રહેશે.


