ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશભરમાં અનેક મસ્જિદોને લઈને વિવાદ, હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આવ્યું મેદાનમાં, આપી દીધી ચીમકી

હાલમાં દેશભરમાં મસ્જિદમાં હિંદુ દેવી દેવતાઓને લઈને અને હિંદુ મંદિરો તોડીને મસ્જિદ બનાવી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અનેક મસ્જિદોને લઈને હાલમાં મોટાપાયે વિવાદ ચાલી રહ્યા છે ત્યારે હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મેદાનમાં ઉતર્યું છે. દેશના મુસ્લિમોની મુખ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ દેશમાં મુસ્લિમોના પૂજા સ્થાનોને કથિત રીતે નિશાન બનાવવા અંગે સàª
10:14 AM May 19, 2022 IST | Vipul Pandya
હાલમાં દેશભરમાં મસ્જિદમાં હિંદુ દેવી દેવતાઓને લઈને અને હિંદુ મંદિરો તોડીને મસ્જિદ બનાવી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અનેક મસ્જિદોને લઈને હાલમાં મોટાપાયે વિવાદ ચાલી રહ્યા છે ત્યારે હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મેદાનમાં ઉતર્યું છે. દેશના મુસ્લિમોની મુખ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ દેશમાં મુસ્લિમોના પૂજા સ્થાનોને કથિત રીતે નિશાન બનાવવા અંગે સàª

હાલમાં દેશભરમાં મસ્જિદમાં હિંદુ દેવી દેવતાઓને લઈને અને હિંદુ
મંદિરો તોડીને મસ્જિદ બનાવી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અનેક
મસ્જિદોને લઈને હાલમાં મોટાપાયે વિવાદ ચાલી રહ્યા છે ત્યારે હવે મુસ્લિમ પર્સનલ લો
બોર્ડ મેદાનમાં ઉતર્યું છે. દેશના મુસ્લિમોની મુખ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા મુસ્લિમ
પર્સનલ લો બોર્ડ (
AIMPLB) એ દેશમાં મુસ્લિમોના પૂજા સ્થાનોને કથિત
રીતે નિશાન બનાવવા અંગે સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. બોર્ડે
જ્ઞાનવાપી મસ્જિદના મામલે મસ્જિદ એરેન્જમેન્ટ કમિટી અને તેના વકીલોને કાનૂની સહાય
પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.


બોર્ડે જો જરૂર પડે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનું પણ નક્કી
કર્યું છે
, જેથી કરીને જનતાને પૂજા સ્થાનો પર વિવાદ ઊભો
કરવાના
વાસ્તવિક ઈરાદાવિશે
જણાવવામાં આવે.બો ર્ડના એક્ઝિક્યુટિવ મેમ્બર કાસિમ રસૂલ ઇલ્યાસે બુધવારે જણાવ્યું
હતું કે બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટી (વર્કિંગ કમિટી)ની ઇમરજન્સી વર્ચ્યુઅલ મીટિંગ
મંગળવારે મોડી રાત્રે મળી હતી જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી મસ્જિદ ઈદગાહના
મામલાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બેઠકમાં દુખ વ્યક્ત કરવામાં આવ્યું કે
દેશમાં મુસ્લિમોના પૂજા સ્થાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.તેમણે કહ્યું કે
બેઠકમાં એ વાત પર પણ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે વર્ષ
1991માં સંસદમાં તમામની સહમતિથી ઘડવામાં આવેલા પ્લેસ ઓફ વર્શીપ એક્ટનો
ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ઇલ્યાસે કહ્યું
, “બેઠકમાં ખેદ
વ્યક્ત કરવામાં આવ્યો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો મૌન છે. આ સિવાય પોતાને
બિનસાંપ્રદાયિક પક્ષ ગણાવતા રાજકીય પક્ષો પણ મૌન સેવી રહ્યા છે. બોર્ડે તમામને આ
અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા વિનંતી કરી છે.


ઇલ્યાસે કહ્યું કે બોર્ડે એમ પણ કહ્યું કે જે રીતે નીચલી અદાલતો
ધર્મસ્થળોને લઈને નિર્ણય લઈ રહી છે તે ખેદની વાત છે. અદાલતોએ લોકોને નિરાશ ન કરવા
જોઈએ
, કારણ કે ન્યાયની છેલ્લી આશા કદાચ ત્યાં સમાપ્ત ન
થાય. તેમણે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બોર્ડની કાનૂની સમિતિ
મસ્જિદની જાળવણી સંસ્થા
અંજુમન ઉત્જાપનિયા મસ્જિદ કમિટી
અને તેના વકીલોને સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના સંબંધમાં મદદ
કરશે.

Tags :
GujaratFirstGyanvapiMasjidmosquesMuslimPersonalLawBoard
Next Article