રાજકોટની જળ કથામાં CR Patil નું નિવેદન : 35 લાખ જળસંચય સ્ટ્રક્ચર તૈયાર, બનાસકાંઠામાં શંકરભાઈની કામગીરી ઉત્તમ
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રાજકોટના પ્રવાસે
- રાજકોટમાં ચાલી રહેલી જળ કથામાં આપી હાજરી
- જળ બચાવવા માટે PM મોદીએ અપીલ કરી હતીઃ સીઆર પાટીલ
- "જળ બચાવવા માટે 35 લાખ સ્ટ્રક્ચર અમે તૈયાર કર્યા"
- "રાજકોટમાં પાણીની તકલીફ હતી, હવે જળાશયો દેખાય છે"
- "શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠામાં ઉત્તમ કાર્ય કર્યું છે"
- "ખેડૂતો સાથે મળીને શંકરભાઈએ 28 હજાર બોર તૈયાર કર્યા"
Rajkot : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં રાજકોટના પ્રવાસ દરમિયાન ત્યાં ચાલી રહેલી 'જળ કથા'માં વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ બચાવવા માટે કરવામાં આવેલી અપીલને પુનરાવર્તિત કરતા જણાવ્યું હતું કે, જળસંચય અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 35 લાખ જેટલા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠામાં ઉત્તમ કાર્ય કર્યું : CR Patil
રાજકોટની બદલાતી તસવીરનું વર્ણન કરતા તેમણે કહ્યું કે, એક સમયે અહીં પાણીની વિકટ સમસ્યા હતી, પરંતુ આજે જળાશયો છલકાયેલા દેખાય છે, જે એક હકારાત્મક બદલાવ છે. આ તકે તેમણે બનાસકાંઠામાં થયેલી જળક્રાંતિનો ઉલ્લેખ કરી શંકરભાઈ ચૌધરીની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, શંકરભાઈએ સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને 28 હજાર જેટલા બોરવેલ તૈયાર કરીને જળસંચયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો : Gondal : દબાણો સામે તંત્રની લાલ આંખ, રીબડા ગામે હોટેલનું ડિમોલિશન! 3 મહિના પહેલા આપી હતી નોટિસ


