મગફળીની ટેકાનાં ભાવે ખરીદી અંગે Dileepbhai Sanghani નું નિવેદન
તેમણે કહ્યું કે, મગફળી ખરીદી અંગે ગુજકોમાસોલને એજન્સી તરીકે નીમી છે. સરકારે સત્વરે સરવે કરીને રિપોર્ટ બનાવવો જોઇએ.
07:19 PM Oct 31, 2025 IST
|
Vipul Sen
ગુજરાતમાં કમોસમી વરસાદ અને જણસ પલળી ગયા હોવાનાં કારણે ખરીફ પાકોની ટેકાનાં ભાવે શરૂ થનારી ખરીદી રદ કરાઈ છે. આવતીકાલથી ટેકાના ભાવે શરૂ ખરીદી થવાની હતી. માવઠાથી ખેડૂતોની જણસી પલળી જતા આ ખરીદી રદ કરાઈ છે. મગફળીનો જથ્થો ખરીદવો તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મગફળી ખરીદી અંગે ગુજકોમાસોલને એજન્સી તરીકે નીમી છે. સરકારે સત્વરે સરવે કરીને રિપોર્ટ બનાવવો જોઇએ. હાલ ખેડૂતોનો તૈયાર થયેલ માલ પલળી ગયો છે. તેમણે કહ્યું કે, સરકારે સરવેનાં આદેશ આપ્યા છે... જુઓ અહેવાલ...
Next Article