દાદાગીરી! આ કારણે શાળાએ વિદ્યાર્થીને પરિણામ અને LC ન આપ્યું
વિદ્યાર્થીઓને શિક્ષા આપવાના ધામને કેટલીક શાળાઓ જાણે રૂપિયો કમાવવાનો વ્યવસાય બનાવી દીધો હોય તેવું અનેક કિસ્સાઓમાં જોવા મળતું હોય છે.... ત્યારે રાજકોટની પોદાર શાળાની વિદ્યાર્થી પર ફી મુદ્દે મનમાની સામે આવી છે...શિક્ષાના ધામને બનાવ્યો વેપાર! ફી મુદ્દે વિદ્યાર્થીને માનસિક હેરાનગતિફી ન ભરી તો અટકાવી દીધું પરિણામરાજકોટમાં પોદાર સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ફી મુદ્દે વિદ્યાર્થીન
11:07 AM Apr 30, 2022 IST
|
Vipul Pandya
વિદ્યાર્થીઓને શિક્ષા આપવાના ધામને કેટલીક શાળાઓ જાણે રૂપિયો કમાવવાનો વ્યવસાય બનાવી દીધો હોય તેવું અનેક કિસ્સાઓમાં જોવા મળતું હોય છે.... ત્યારે રાજકોટની પોદાર શાળાની વિદ્યાર્થી પર ફી મુદ્દે મનમાની સામે આવી છે...
- શિક્ષાના ધામને બનાવ્યો વેપાર!
- ફી મુદ્દે વિદ્યાર્થીને માનસિક હેરાનગતિ
- ફી ન ભરી તો અટકાવી દીધું પરિણામ
રાજકોટમાં પોદાર સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ફી મુદ્દે વિદ્યાર્થીને શાળા સંચાલકો તરફથી હેરાનગતિ કરવામાં આવી. ફી ન ભરવાના કારણે શાળાએ વિદ્યાર્થીનું પરિણામ અને LC અટકાવી દીધું છે. વિદ્યાર્થી ધોરણ 9માં અભ્યાસ કરે છે. વાલી FRC પ્રમાણે ફી ભરવા તૈયાર હોવા છતાં શાળા સંચાલકો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કરાયા છે...
વાલી આ અંગે DEO અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે..... ત્યારે ફી મુદ્દે થતી કનડગતમાં છેવટે વિદ્યાર્થીને હેરાન થવું પડતું હોય છે અને તેની સીધી અસર તેના અભ્યાસ પર જોવા મળે છે..
Next Article