Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એકવાર ફરી ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના ઝટકા

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પંજાબના અમૃતસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. અહીં સોમવારે સવારે 3.42 કલાકે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. થોડા દિવસો પહેલા દિલ્હી-એનસીઆરમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વખત ધરતી ધ્રૂજીઆજે સવારે 3.42 વàª
એકવાર ફરી ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના ઝટકા
Advertisement
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. પંજાબના અમૃતસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. અહીં સોમવારે સવારે 3.42 કલાકે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. થોડા દિવસો પહેલા દિલ્હી-એનસીઆરમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વખત ધરતી ધ્રૂજી
આજે સવારે 3.42 વાગ્યે પંજાબના અમૃતસરથી 145 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની ઊંડાઈ જમીનથી 120 કિમી નીચે હતી. જણાવી દઈએ કે, ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વખત ધરતી ધ્રૂજી ગઈ છે. બે દિવસ પહેલા જ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર નેપાળ હતું. આ એક અઠવાડિયામાં બીજી વખત બન્યું, જ્યારે દેશની રાજધાની અને NCRમાં ભૂકંપ આવ્યો. નોઈડા, ગાઝિયાબાદ અને મેરઠમાં લોકોએ 54 સેકન્ડ સુધી આ આંચકા અનુભવ્યા. આ સિવાય ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મંગળવારે આવેલા ભૂકંપના કારણે 6 લોકોના મોત
શનિવારે સાંજે ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં સાંજે લગભગ 4.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 હતી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા. મંગળવારે પણ દિલ્હી-NCR અને UP સહિત 5 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 હતી. આ ભૂકંપના કારણે 6 લોકોના મોત થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં 9 નવેમ્બરે રાત્રે 1.57 કલાકે આ ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દોટી જિલ્લામાં મકાન ધરાશાયી થયું હતું અને 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ભૂકંપ શા માટે આવે છે?
ધરતીકંપ પૃથ્વીની પ્લેટોની ટક્કરના કારણે થાય છે. આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. આખી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે. આ પ્લેટો આ લાવા પર તરતી હોય છે અને તેમની ટક્કરથી ઉર્જા બહાર આવે છે જેને ભૂકંપ કહેવાય છે. તે જાણવું જોઈએ કે આ પ્લેટો ખૂબ જ ધીરે ધીરે ફરે રહે છે. આ રીતે, તેઓ દર વર્ષે તેમની જગ્યાએથી 4-5 મીમી ખસે છે. કેટલીક પ્લેટ બીજી પ્લેટની નજીક ખસે છે અને કેટલીક દૂર ખસે છે. આવી સ્થિતિમાં ક્યારેક તેઓ ટકરાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.

×