અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અત્યાર સુધી જાણો કેટલા DNA થયા મેચ
અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 86 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 47 મૃતદેહ અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા અને મહીસાગરના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
02:00 PM Jun 16, 2025 IST
|
Hardik Shah
Ahmedabad Plane Crash Incident : અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 86 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 47 મૃતદેહ અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા અને મહીસાગરના પરિવારોને સોંપવામાં આવ્યા છે. જોકે, 12 પરિવારોના મૃતદેહોનું કન્ફર્મેશન હજુ બાકી છે, અને DNA મેચિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જેથી બાકીના મૃતદેહો પણ ઝડપથી તેમના સગાઓ સુધી પહોંચી શકે.
Next Article