કુતિયાણાના જંગલમાં આગ બેકાબૂ, જાણો શું છે કારણ
સ્થાનિકો અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થયેલી આ આગને ઓલવવા નાગલ ધામ મિત્ર મંડળ રામનગર 2 કલાકથી પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે કાબૂ બહાર ચાલી ગઈ છે.
11:54 AM Mar 07, 2025 IST
|
Hardik Shah
કુતિયાણાના દેવડા જંગલ વિસ્તારમાં લાગેલી ભીષણ આગ 3 કિલોમીટરથી વધુ વન વિસ્તારમાં ફેલાઈ ગઈ છે, જેમાં ફાયર વિભાગના વાહનો ડુંગરાળ પ્રદેશમાં પ્રવેશી ન શકતાં આગે રાત્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યારે સ્થાનિકો અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થયેલી આ આગને ઓલવવા નાગલ ધામ મિત્ર મંડળ રામનગર 2 કલાકથી પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે કાબૂ બહાર ચાલી ગઈ છે. મરઘા ડુંગર વિસ્તારમાં દૂરથી દેખાતી જ્વાળાઓએ સ્થિતિની ગંભીરતા દર્શાવી, જોકે પોરબંદર, ઉપલેટા અને કુતિયાણાના ફાયર ફાઇટર્સ સ્થળ પર પહોંચ્યા હોવા છતાં, પહાડી વિસ્તારમાં વાહનોની પહોંચ ન હોવાથી બહાર ઊભા રહીને માત્ર ખેતરો અને નીચલા વિસ્તારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Next Article