અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે PM મોદીને લખ્યો પત્ર
અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહી વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતમાં નારી સશક્તિકરણના દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે.
Advertisement
- અમરેલી લેટરકાંડ મુદ્દે PM મોદીને રજૂઆત
- પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે PM મોદીને લખ્યો પત્ર
- ગુજરાતમાં માત્ર નારી સશક્તિકરણની જાહેરાતો:પ્રતાપ દૂધાત
- બહેન-દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે:પ્રતાપ દૂધાત
- દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે:પ્રતાપ દૂધાત
- પોલીસે કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે:પ્રતાપ દૂધાત
- અન્ય રાજ્યોમાં બહેન-દીકરીઓને સહાય મળી રહી છે:પ્રતાપ દૂધાત
- ગુજરાત સરકારમાં 'એકને ગોળ એકને ખોળ':પ્રતાપ દૂધાત
- ગુજરાતની દીકરીને ન્યાયની કોઈ અપેક્ષા નહી:પ્રતાપ દૂધાત
- ગુજરાતની બહેન-દીકરીને ન્યાય મળે તેવી માગણી:પ્રતાપ દૂધાત
Amreli : અમરેલી પત્રકાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહી વિવાદનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગુજરાતમાં નારી સશક્તિકરણના દાવાઓ પર સવાલ ઊભા કર્યા છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં બહેન-દીકરીઓ ન્યાય માટે વલખા મારી રહી છે અને દીકરીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું છે, જે ખરેખર ચિંતાજનક છે. તેમણે વડાપ્રધાનને રાજ્યની બહેન-દીકરીઓને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.
Advertisement


