ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PTIના બધા જ સભ્યો પાક.ની તમામ એસેમ્બલીમાંથી આપશે રાજીનામું

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક વિશાળ રેલીને સંબોધિત કરવા રાવલપિંડી પહોંચ્યા હતા તેમની સાથે ડોક્ટરોની એક ટીમ પણ હાજર હતી.  આ દરમિયાન તેમણે દેશની તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અહીં તેણે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું. તેણે તેના પર થયેલા હુમલા માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે, તેઓ મારા પર ફરીથી હુમલો ક
06:36 PM Nov 26, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક વિશાળ રેલીને સંબોધિત કરવા રાવલપિંડી પહોંચ્યા હતા તેમની સાથે ડોક્ટરોની એક ટીમ પણ હાજર હતી.  આ દરમિયાન તેમણે દેશની તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અહીં તેણે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું. તેણે તેના પર થયેલા હુમલા માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે, તેઓ મારા પર ફરીથી હુમલો ક
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એક વિશાળ રેલીને સંબોધિત કરવા રાવલપિંડી પહોંચ્યા હતા તેમની સાથે ડોક્ટરોની એક ટીમ પણ હાજર હતી.  આ દરમિયાન તેમણે દેશની તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. અહીં તેણે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું. તેણે તેના પર થયેલા હુમલા માટે ત્રણ લોકોને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે, તેઓ મારા પર ફરીથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.
બેઠક કરશે
રેલીને સંબોધતા ઈમરાને કહ્યું કે, હું મોતથી ડરતો નથી, તે ત્યારે જ આવે છે જ્યારે અલ્લાહ ઈચ્છે. તે હવે આ નિઝામ (System)નો ભાગ નહીં રહે. અમારી પાર્ટી PTI તમામ એસેમ્બલીમાંથી રાજીનામું આપશે. આ માટે અમે અમારા તમામ મુખ્યમંત્રીઓ અને સંસદીય દળ સાથે બેઠક કરીશું.
દેશ મહત્વના વળાંક પર
ઇમરાને કહ્યું, "ડર આખા દેશને ગુલામ બનાવે છે. તે એટલા માટે આગળ વધ્યા કારણ કે તેણે મોતને નજીકથી જોયું છે. જો તમે જીવન જીવવા માંગતા હોય, તો મોતનો ડર છોડી દો. દેશ "ટર્નિંગ પોઈન્ટ" પર છે. તેની આગળ બે રસ્તા છે, એક રસ્તો આશીર્વાદ અને મહાનતાનો માર્ગ, જ્યારે બીજો માર્ગ અપમાન અને વિનાશનો.
નવેસરથી ચૂંટણીની માંગ
ઈમરાન ખાનને 3 નવેમ્બરના રોજ રેલી દરમિયાન ગોળી વાગી તે પછી તેઓ પહેલીવાર કોઈ રેલીને સંબોધિત કરવા આવ્યા છે. અહીં રાવલપિંડીમાં, તેઓ તેમના સમર્થકો સાથે પાકિસ્તાનના લોકો પાસેથી નવેસરથી સામાન્ય ચૂંટણીની માંગ સાથે રેલી ચાલુ રાખશે.
આ પણ વાંચો - ભારત-પાકિસ્તાનના સંબંધ ત્યારે જ સારા થશે જ્યારે BJP સત્તા પર નહીં હોય : ઈમરાન ખાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstImranKhanMegaRallyPakistanPTIRwalpindi
Next Article