રાજકોટમાં તાજા બનાવેલા રોડની કપચી આંગળીના ટેરવે ઉખડી
Rajkot : રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં માત્ર ચાર દિવસ પહેલા બનાવેલા નવા રોડની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે રોડની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે, જે ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો પુરાવો ગણાવવામાં આવે છે.
12:15 PM Jun 30, 2025 IST
|
Hardik Shah
Rajkot : રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં માત્ર ચાર દિવસ પહેલા બનાવેલા નવા રોડની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે રોડની કપચી આંગળીના ટેરવે ઉખડી રહી છે, જે ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો પુરાવો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસાની શરૂઆતમાં જ આ રોડ ટકી શકશે નહીં, અને ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. નાગરિકોનો આક્ષેપ છે કે ચોમાસામાં રોડ બનાવવાનો નિર્ણય ખોટો હતો, અને મનપાના કામો હજુ પૂર્ણ થયા નથી, જ્યારે કોર્પોરેટરના વિસ્તારમાં જ વ્યવસ્થિત રોડ બન્યા છે, પરંતુ અન્ય વિસ્તારોમાં નબળી ગુણવત્તાનું બાંધકામ થયું છે, જેના કારણે શહેરીજનોમાં આક્રોશ વધી રહ્યો છે.
Next Article