Gandhinagar: માણસાના વેડા આનંદપુરા ગામમાં કેમિકલ માફિયાઓનો આતંક
Gandhinagar: માણસાના વેડા આનંદપુરા ગામમાં કેમિકલ માફિયાઓ દ્વારા મચાવવામાં આવેલા આતંકથી ગ્રામજનોનું જીવન અત્યંત દુષ્કર બની ગયું છે. સ્થાનિક ફેક્ટરીઓમાંથી અઠવાડિયામાં ત્રણ દિવસ રાત્રિના સમયે અતિશય પ્રદૂષિત કેમિકલયુક્ત હવા છોડવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે ગામમાં અસ્થમા અને ટીબી જેવા ગંભીર રોગોનો રોગચાળો ફેલાઈ રહ્યો છે.
Advertisement
Gandhinagar : માણસાના વેડા આનંદપુરા ગામમાં કેમિકલ માફિયાઓ દ્વારા મચાવવામાં આવેલા આતંકથી ગ્રામજનોનું જીવન અત્યંત દુષ્કર બની ગયું છે. સ્થાનિક ફેક્ટરીઓમાંથી અઠવાડિયામાં ત્રણ દિવસ રાત્રિના સમયે અતિશય પ્રદૂષિત કેમિકલયુક્ત હવા છોડવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે ગામમાં અસ્થમા અને ટીબી જેવા ગંભીર રોગોનો રોગચાળો ફેલાઈ રહ્યો છે. ગ્રામજનો દ્વારા અગાઉ અનેકવાર સત્તાવાળાઓને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે ગ્રામજનોએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Pollution Control Board) પાસે આ મામલે કડક પગલાં ભરી ગામને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે તાતી માંગ ઉઠાવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


