ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેવી ચંદ્રઘંટા માતા પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ છે, જાણો પૂજન વિધિ, મંત્ર અને પૌરાણિક કથાઓ

આ ચૈત્ર નવરાત્રિ 2022 (નવરાત્રિ)ના ત્રીજા દિવસે એટલે કે સોમવાર 04 એપ્રિલે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ એટલે કે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે દેવી ચંદ્રઘંટા તેમના કપાળ અર્ધચંદ્રાકાર છે.મા ચંદ્રઘંટા ના મંત્રો:માતાના આ સ્વરૂપની પૂજા મુખ્યત્વે બે મંત્રોથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરતી વખતે ભક્તોએ ઓછામાં ઓછા 11 વાર તેમના મંત્રનો જાપ કરવો
12:05 PM Apr 03, 2022 IST | Vipul Pandya
આ ચૈત્ર નવરાત્રિ 2022 (નવરાત્રિ)ના ત્રીજા દિવસે એટલે કે સોમવાર 04 એપ્રિલે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ એટલે કે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે દેવી ચંદ્રઘંટા તેમના કપાળ અર્ધચંદ્રાકાર છે.મા ચંદ્રઘંટા ના મંત્રો:માતાના આ સ્વરૂપની પૂજા મુખ્યત્વે બે મંત્રોથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરતી વખતે ભક્તોએ ઓછામાં ઓછા 11 વાર તેમના મંત્રનો જાપ કરવો
આ ચૈત્ર નવરાત્રિ 2022 (નવરાત્રિ)ના ત્રીજા દિવસે એટલે કે સોમવાર 04 એપ્રિલે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ એટલે કે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે દેવી ચંદ્રઘંટા તેમના કપાળ અર્ધચંદ્રાકાર છે.

મા ચંદ્રઘંટા ના મંત્રો:
માતાના આ સ્વરૂપની પૂજા મુખ્યત્વે બે મંત્રોથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરતી વખતે ભક્તોએ ઓછામાં ઓછા 11 વાર તેમના મંત્રનો જાપ કરવો જોઈએ.
મંત્ર: 1- पिण्डज प्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता। प्रसादं तनुते मह्यम् चन्द्रघण्टेति विश्रुता॥
મંત્ર : 2- या देवी सर्वभू‍तेषु मां चन्द्रघण्टा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

દેવી માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ
દેવી મા ચંદ્રઘંટા આ સ્વરૂપમાં સિંહ પર બિરાજમાન છે અને તેના 10 હાથ છે. જેમાંથી તેના ચાર હાથમાં કમળનું પુષ્પ, ધનુષ્ય, મંત્રોચ્ચારની માળા અને બાણ છે, જ્યારે પાંચમો હાથ અભય મુદ્રામાં રહે છે.આ સિવાય અન્ય ચાર હાથમાં ત્રિશૂળ, ગદા, કમંડલ અને તલવાર હાજર છે, પાંચમો હાથ વરદ મુદ્રામાં છે. માતાનું આ સ્વરૂપ ભક્તો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
દેવી માતાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા વિધિ
પંડિતો અને નિષ્ણાતોના મતે નવરાત્રિના ત્રીજા દિવસે માતાના બાજોટ (ચોકી) પર દેવી ચંદ્રઘંટાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું જોઈએ. ગંગાજળ અથવા ગૌમૂત્રથી તેને શુદ્ધ કર્યા પછી ચોકી પર ચાંદી, તાંબા કે માટીના વાસણમાં પાણી ભરીને તેના પર નારિયેળ મૂકીને કલશની સ્થાપના કરવી જોઈએ અને પછી પૂજાનું વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ વૈદિક અને દુર્ગા સપ્તશતીના મંત્રો સાથે માતા ચંદ્રઘંટા સહિત તમામ સ્થાપિત દેવતાઓની પૂજા કરવી જોઈએ. જેમાં આહ્વાન, આસન, પદ્ય, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, શુભ સૂત્ર, ચંદન, રોળી, હળદર, સિંદૂર, દુર્વા, બિલ્વપત્ર, આભૂષણ, ફૂલ-હાર, સુગંધિત પદાર્થ, ધૂપ-દીપ, નૈવેદ્ય, ફળ, પાન, અપર્ણ કરો. ત્યારબાદ દક્ષિણા મુકી આરતી, પ્રદક્ષિણા, મંત્ર પુષ્પાંજલિ વગેરે કરવું જોઇએ. ભગવાનને પ્રસાદ ઘરાવીને તેં વહેંચો અને પૂજા પૂર્ણ કરો. સાથે જ માતાને મનમાં પ્રાર્થના કરતા રહો કે હે માતા! તમારા આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે અને અમારા દુ:ખનો નાશ થાય.
 
માતા ચંદ્રઘંટા માતાને કેવી રીતે પ્રસન્ન કરવા
નવરાત્રિના સમય દરમિયાન દેવી માતાને બ્રાઉન અથવા ગ્રે રંગની કોઈ વસ્તુ અર્પણ કરો અને તે જ રંગના કપડાં પહેરો. ધ્યાનમાં રાખો કે માતા ચંદ્રઘંટા તેમના વાહનને પ્રેમ કરે છે, તેથી આ દિવસે સોનેરી રંગના વસ્ત્રો પહેરવા પણ શુભ માનવામાં આવે છે. દેવીના આ સ્વરૂપને દૂધ, મીઠાઈ અને ખીર ચઢાવવામાં આવે છે. આ સિવાય માતા ચંદ્રઘંટા ને મધ પણ ચઢાવવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનો બીજ મંત્ર 'ઐં શ્રી શ્ક્તાય નમઃ' નો જાપ કરવો પણ શુભ માનવામાં આવે છે. આ સિવાય દેવીના મહામંત્ર 'અથવા દેવી સર્વભૂતેષુ મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતાય નમસ્તસ્યૈ નાસ્તસ્યૈ નમસ્તસ્ય નમો નમઃ' નો જાપ કરો.
મા ચંદ્રઘંટા નો ભોગ:
માન્યતા અનુસાર માતા ચંદ્રઘંટાને મીઠી ખીર ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં આ દિવસે પૂજાના સમયે દેવીને ગાયના દૂધથી બનેલી ખીર ચઢાવો, એવું માનવામાં આવે છે કે તેનાથી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે કન્યાઓને ખીર, હલવો અથવા સ્વાદિષ્ટ મીઠાઈઓ ચઢાવવામાં આવે તો પણ માતા દેવી પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે અને પોતાના ભક્તને દરેક અવરોધોમાંથી મુક્ત કરે છે.
મા ચંદ્રઘંટા ની પૌરાણિક કથા
દંતકથા અનુસાર, એક વખત રાક્ષસ મહિષાસુરે પોતાની શક્તિના અભિમાનમાં દેલોક પર હુમલો કર્યો. પછી મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે દેવતાઓ હાર માની લેવા લાગ્યા ત્યારે તેઓ મદદ માટે ત્રિદેવ પાસે ગયા. તેમની કથા સાંભળીને ત્રિદેવ ક્રોધિત થઈ ગયા, જેના કારણે માતા ચંદ્રઘંટાનો જન્મ થયો. ભગવાન વિષ્ણુએ માતાને પોતાનું ચક્ર આપ્યું, ભગવાન શિવે ત્રિશૂલ આપ્યું, દેવરાજ ઇન્દ્રએ ઘંટડી આપી, સૂર્યે તીક્ષ્ણ તલવાર અને સવારી માટે સિંહ આપ્યો. એ જ રીતે, અન્ય દેવી-દેવતાઓએ પણ માતાને ઘણા શસ્ત્રો આપ્યા, જેના પછી તેમણે રાક્ષસનો વધ કર્યો.
દેવી પુરાણ અનુસાર, જ્યારે ભગવાન શિવ પાર્વતી સાથે લગ્ન કરવા હિમાલયના મહેલમાં પહોંચ્યા, ત્યારે તેઓ વાળમાં ઘણા સાપ સાથે ભયાનક સ્વરૂપમાં આવ્યા, ભૂત, ઋષિઓ અઘોરી અને તપસ્વીઓની એક વિચિત્ર લગ્નયાત્રા જોઈને પાર્વતીની માતા મૈના દેવી બેહોશ થઈ ગયા. પછી પાર્વતીએ દેવી ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું, ત્યારબાદ શિવ પાર્વતીના લગ્ન થયા.
Tags :
GujaratFirstmatachndraghntaNavratri2022nvratripooja
Next Article