મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ : DyCM હર્ષભાઈ સંઘવી
Middle East War : અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધ (War) ના તણાવને પગલે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન (Statement) આપ્યું છે. તેમણે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્યાં ફસાયેલા તમામ ભારતીયોની સતત મદદ (Assistance) કરી રહી છે અને દરેક વ્યક્તિને સહી-સલામત ભારત પરત લાવવામાં આવશે.
Advertisement
Middle East War : અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધ (War) ના તણાવને પગલે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન (Statement) આપ્યું છે. તેમણે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્યાં ફસાયેલા તમામ ભારતીયોની સતત મદદ (Assistance) કરી રહી છે અને દરેક વ્યક્તિને સહી-સલામત ભારત પરત લાવવામાં આવશે. આ રાહત કામગીરીના ભાગરૂપે, તેમણે માહિતી આપી હતી કે 'એતિહાદ' એરલાઇન્સની એક ફ્લાઇટ (Flight) આજે સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી છે. સરકાર દ્વારા ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર (Evacuation) માટે તમામ રાજદ્વારી ચેનલો અને સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કટોકટીના આ સમયમાં પરિવારોને રાહત મળી શકે.
Advertisement


