રાજ્યપાલ Acharya Devvrat બે દિવસ Jamnagar ના પ્રવાસે
રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) બે દિવસના જામનગર (Jamnagar) જિલ્લાના પ્રવાસે છે. ત્યારે પ્રથમ દિવસે જોડિયા તાલુકામા પ્રાકૃતિક ખેતી સબબ ખેડૂતો સાથે કેમ્પ અને પરિસંવાદ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે જમીન પર બેસી ભોજન લીધું હતું. સાદગી પૂર્વક ભોજન લઈ મહામહિમ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Advertisement
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) બે દિવસ જામનગર (Jamnagar) ના પ્રવાસે
- પ્રથમ દિવસે જોડિયા ખાતે ખેડૂતો સાથે કેમ્પ અને પરિસંવાદ
- ભાદરા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન લીધું
- સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
- રાજ્યપાલે સાદગીભર્યા અંદાજમાં અનિલભાઈ પરમારના ઘરે લીધું ભોજન
- પરિવારના સભ્યની જેમ આત્મીયતાથી ખબર-અંતર પૂછ્યા
- રાજ્યપાલની સહજતા જોઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ
રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) બે દિવસના જામનગર (Jamnagar) જિલ્લાના પ્રવાસે છે. ત્યારે પ્રથમ દિવસે જોડિયા તાલુકામા પ્રાકૃતિક ખેતી સબબ ખેડૂતો સાથે કેમ્પ અને પરિસંવાદ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે જમીન પર બેસી ભોજન લીધું હતું. સાદગી પૂર્વક ભોજન લઈ મહામહિમ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદે હોવા છતાં રાજ્યપાલે સાદગીભર્યા અંદાજમાં અનિલભાઈ પરમારના ઘરે ભોજન લીધું હતું અને પરિવારના સભ્યની જેમ આત્મીયતાથી ખબર-અંતર પૂછ્યા હતા. રાજ્યપાલની સહજતા જોઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement


