ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ગ્રેનેડ વિસ્ફોટ, સેનાના 2 અધિકારી શહીદ

જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો જેમાં આર્મી કેપ્ટન સહિત એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સેનાના પીઆરઓના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે પૂંચના મેંધર સેક્ટરમાં અચાનક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત સમયે જવાન ફરજ પર હતા.ઘટના બાદ તરત જ ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ઉધમપુર લà
07:25 AM Jul 18, 2022 IST | Vipul Pandya
જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો જેમાં આર્મી કેપ્ટન સહિત એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સેનાના પીઆરઓના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે પૂંચના મેંધર સેક્ટરમાં અચાનક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત સમયે જવાન ફરજ પર હતા.ઘટના બાદ તરત જ ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ઉધમપુર લà
જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો જેમાં આર્મી કેપ્ટન સહિત એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સેનાના પીઆરઓના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે પૂંચના મેંધર સેક્ટરમાં અચાનક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત સમયે જવાન ફરજ પર હતા.
ઘટના બાદ તરત જ ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. આર્મી કેપ્ટન આનંદ (કેપ્ટન આનંદ) અને જેસીઓ ભગવાન સિંહનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. જ્યારે પાંચ જવાનોની સારવાર ચાલી રહી છે. 
આ અગાઉ રવિવારે પુલવામા જિલ્લામાં CRPFની નાકા પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા હતા જ્યારે અન્ય એક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં જુલાઈ મહિનામાં આતંકવાદીઓ બે વખત હુમલા કરી ચુક્યા છે. આ આતંકી હુમલામાં બે જવાન શહીદ થયા હતા, જ્યારે બે સૈનિકો અને એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગયા અઠવાડિયે શ્રીનગરના લાલ બજાર વિસ્તારમાં પોલીસની નાકા પાર્ટી પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં પોલીસના એએસઆઈ મુશ્તાક અહેમદ શહીદ થયા હતા. આ ઘટનામાં 2 અન્ય જવાન પણ ઘાયલ થયા છે. 

Tags :
GrenadeBlastGujaratFirstJammuKashmir
Next Article