વિધાનસભા Shankarbhai Chaudhary ની ઉપસ્થિતિમાં વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહનું આયોજન
આ ભવ્ય પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમ જ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
ગાંધીનગરમાં આજે આંજણા ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ અને યુવા શક્તિના ઉત્થાન માટે એક ઐતિહાસિક ક્ષણનું નિર્માણ થયું. જિલ્લાના જમિયતપુરા ખાતે અંદાજિત રૂ. 300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના વિશ્વ આંજણાધામનું ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ ભવ્ય પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમ જ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આંજણા ચૌધરી સમાજના શિક્ષણ, સંસ્કાર અને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આ સમારોહ મહત્ત્વનું પગલું ગણાય છે.... જુઓ અહેવાલ....
Advertisement


