Ambalal Patel Weather Forecast : અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણ પલટાની કરી આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણ પલટાવાની મોટી આગાહી કરી છે.
Advertisement
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણ પલટાવાની મોટી આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ માવઠું પડી શકે છે.
Advertisement


