ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા

યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત (Gujarat) અને રાજસ્થાની (Rajasthan) સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમનો સમન્વય હાલમાં ગબ્બર ખાતે જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે હાલમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ સ્થળોથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા અંબાજી અને ગબ્બર ખાતે આવી રહ્યા છે ત્યારે આજે à
09:52 AM Feb 15, 2023 IST | Vipul Pandya
યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત (Gujarat) અને રાજસ્થાની (Rajasthan) સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમનો સમન્વય હાલમાં ગબ્બર ખાતે જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે હાલમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ સ્થળોથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા અંબાજી અને ગબ્બર ખાતે આવી રહ્યા છે ત્યારે આજે à
યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત (Gujarat) અને રાજસ્થાની (Rajasthan) સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમનો સમન્વય હાલમાં ગબ્બર ખાતે જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે હાલમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ સ્થળોથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા અંબાજી અને ગબ્બર ખાતે આવી રહ્યા છે ત્યારે આજે પરિક્રમા મહોત્સવના (Parikrama Mahotsav) ચોથા દિવસે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ત્રિશૂળ યાત્રા અને ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પોલીસના ગાર્ડ ઓફ ઓનર માં હાજર રહ્યા હતા.
ગબ્બર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપીને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અંબાજી મંદિર ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા તેમને ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ તેઓ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને માતાજીની કપૂર આરતી કરી હતી.અંબાજી મંદિરમાં આજે અન્નકૂટ હોઈ તેમને અન્નકૂટના પણ દર્શન કર્યા હતા તેમની સાથે તેમના મિત્રો પણ આવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અવારનવાર અંબાજી મંદિરના દર્શન કરવા આવે છે
ગુજરાત સરકારના ગૃહરાજય મંત્રી હર્ષભાઈ સંઘવી અવારનવાર અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે, ત્યારે આજે હર્ષ ભાઈ સંઘવી ગબ્બર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેઓ ગબ્બર પરિક્રમા મહોત્સવ માં પરિક્રમા પૂર્ણ કરીને તેઓ અંબાજી મંદિર ખાતે આવ્યા હતા અને અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેમને ભૈરવજી મંદિર, બહુચર માતાજી અને ચલયંત્રના દર્શન કર્યા હતા.
આ પણ વાંચો - પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે નવીન જીલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiBanaskanthaDevoteesGujaratFirstHarshSanghviParikramamahotsav
Next Article