ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યસભામાં નાણામંત્રી સીતારમણે મોંઘવારી પર આપ્યો જવાબ

રાજ્યસભામાં મોંઘવારી પર બોલતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે ભાવમાં વધારો થયો છે તે વાતનો કોઈ ઈન્કાર કરતું નથી. અમે ભાગી રહ્યાં નથી. અમારો ફુગાવાનો દર બેન્ડ છે, ફુગાવો 7ટકા  પર છે. સરકાર અને RBI તેને 7ટકા  થી નીચે રાખવાનો પ્રયાસ કરી રહી છે. જીએસટી પહેલા 22 રાજ્યોમાં ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સ હતો તેમણે કહ્યું કે દેશમાં ખાદ્યપદાર્થો પર ટેક્સ લાદવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. GST પહે
02:52 PM Aug 02, 2022 IST | Vipul Pandya
રાજ્યસભામાં મોંઘવારી પર બોલતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે ભાવમાં વધારો થયો છે તે વાતનો કોઈ ઈન્કાર કરતું નથી. અમે ભાગી રહ્યાં નથી. અમારો ફુગાવાનો દર બેન્ડ છે, ફુગાવો 7ટકા  પર છે. સરકાર અને RBI તેને 7ટકા  થી નીચે રાખવાનો પ્રયાસ કરી રહી છે. જીએસટી પહેલા 22 રાજ્યોમાં ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સ હતો તેમણે કહ્યું કે દેશમાં ખાદ્યપદાર્થો પર ટેક્સ લાદવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. GST પહે

રાજ્યસભામાં મોંઘવારી પર બોલતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે ભાવમાં વધારો થયો છે તે વાતનો કોઈ ઈન્કાર કરતું નથી. અમે ભાગી રહ્યાં નથી. અમારો ફુગાવાનો દર બેન્ડ છે, ફુગાવો 7ટકા  પર છે. સરકાર અને RBI તેને 7ટકા  થી નીચે રાખવાનો પ્રયાસ કરી રહી છે. 

જીએસટી પહેલા 22 રાજ્યોમાં ખાદ્ય ચીજવસ્તુઓ પર ટેક્સ હતો 
તેમણે કહ્યું કે દેશમાં ખાદ્યપદાર્થો પર ટેક્સ લાદવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. GST પહેલા 22 રાજ્યોમાં આ વસ્તુઓ પર વેટ હતો. એવું કહેવું ખૂબ જ સરળ છે કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. 
5000 રૂપિયા પ્રતિ દિવસના ભાડાવાળા રૂમ પર જીએસટી
કેટલીક વસ્તુઓ પર જીએસટીને લઈને પણ નાણામંત્રીએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે હોસ્પિટલના પલંગ કે ICU પર કોઈ GST નહીં, માત્ર 5000 રૂપિયા પ્રતિ દિવસના ભાડાવાળા રૂમ પર જીએસટી લાગે છે. સીતારમણે કહ્યું કે બેન્કમાં ચેક બૂકની ખરીદી પર જીએસટી લાગે છે અને કસ્ટમર ચેક પર કોઈ ટેક્સ લાગતો નથી. 
ફક્ત પ્રી-પેક્ડ, લેબલવાળી વસ્તુઓ પર 5 ટકા  GST
ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટીનો બચાવ કરતા સીતારમણે કહ્યું કે દરેક રાજ્યએ અનાજ, કઠોળ, દહીં, લસ્સી, છાશ જેવી કેટલીક અથવા અન્ય ખાદ્ય ચીજો પર ટેક્સ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ ખાદ્ય ચીજવસ્તુઓના ગરીબના વપરાશ પર ટેક્સ લાગતો નથી. સીતારમણે એવું જણાવ્યું કે માત્ર પ્રી-પેક્ડ, લેબલવાળી વસ્તુઓ પર 5ટકા  GST લાગે છે અને છૂટક વેચાતી વસ્તુઓ પર કોઈ જીએસટી લાગતો નથી. 
Tags :
answerFinanceMinisterGujaratFirstRajyasabha
Next Article