પંચમહાલના તરવડી ગામમાં પ્રાકૃતિક ખેતીનો વધ્યો વ્યાપ
- પંચમહાલ જીલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ મોટા પરિવર્તન
- તરવડી ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
- પ્રાકૃતિક કૃષિ તાલીમ લીધા બાદ રાસાયણિક ખેતી ત્યજી
- પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉં, મરચાં, બટાકા, ટામેટાનું ઉત્પાદન
- જમીન વધુ ફળદ્રુપ બની અને પાકની ગુણવત્તા સુધરી
Panchmahal Farmers Success Story : રાજ્ય સરકારના પ્રોત્સાહનથી પ્રેરાઈને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામના પ્રગતિશીલ ખેડૂતોએ ખેતીના પરંપરાગત ઢાંચાને બદલીને એક નવી રાહ ચીંધી છે.
પ્રાકૃતિક કૃષિ તાલીમ લીધા બાદ રાસાયણિક ખેતી ત્યજી
વર્ષ 2019માં પ્રાકૃતિક કૃષિ તાલીમ લીધા બાદ રમણભાઈ અને રાજેન્દ્રસિંહ જેવા ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતીને અપનાવી છે, જેના પરિણામે આજે તેમના ખેતરોમાં શુદ્ધ તત્વોથી ભરપૂર ઘઉં, ચણા, બટાકા, ટામેટા અને મરચા જેવા વિવિધ પાકો લહેરાઈ રહ્યા છે. આ પદ્ધતિના અમલથી માત્ર જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તામાં જ સુધારો નથી થયો, પરંતુ ખેતી ખર્ચમાં ઘટાડો થવાને કારણે ખેડૂતોને રાસાયણિક ખેતીની સરખામણીએ બમણી આવક પણ પ્રાપ્ત થઈ રહી છે. પ્રકૃતિના રક્ષણ સાથે આર્થિક સમૃદ્ધિ મેળવવાની આ સફળ ગાથા આજે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.


