ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યા બનશે કેપ્ટન ?

ભારતીય ક્રિકેટ ટીમનું એક ગૃપ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાનું સિનિયર ગ્રુપ આ પ્રવાસ પર આવ્યું છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓ છે. તે જ સમયે, ઋષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રખ્યાત કૃષ્ણા પણ આ ટીમનો ભાગ છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 01 જુલાઈએ પ્રથમ ટેસ્ટથ
01:10 PM Jun 21, 2022 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટ ટીમનું એક ગૃપ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાનું સિનિયર ગ્રુપ આ પ્રવાસ પર આવ્યું છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓ છે. તે જ સમયે, ઋષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રખ્યાત કૃષ્ણા પણ આ ટીમનો ભાગ છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 01 જુલાઈએ પ્રથમ ટેસ્ટથ
ભારતીય ક્રિકેટ ટીમનું એક ગૃપ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાનું સિનિયર ગ્રુપ આ પ્રવાસ પર આવ્યું છે. તેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી જેવા અનુભવી ખેલાડીઓ છે. તે જ સમયે, ઋષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને પ્રખ્યાત કૃષ્ણા પણ આ ટીમનો ભાગ છે. ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 01 જુલાઈએ પ્રથમ ટેસ્ટથી શરૂ થશે. આ પછી 7 જુલાઈથી ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે.
TOIના રિપોર્ટ અનુસાર આયર્લેન્ડ સામે બે મેચની T20 સીરીઝ રમનારી ટીમ જ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે. જો આવું થાય છે, તો તેનો અર્થ એ છે કે ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટ 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન રમાશે. તે જ સમયે, 7 જુલાઈથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થશે. આવી સ્થિતિમાં ટેસ્ટ ટીમ માટે આટલી જલ્દી T20 સિરીઝ રમવી આસાન નહીં હોય. આવી સ્થિતિમાં આયર્લેન્ડ શ્રેણી માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે, તે જ ટીમ ઈંગ્લેન્ડ સાથે ટી-20 શ્રેણી રમી શકે છે.
જોકે, રાષ્ટ્રીય ટીમના પસંદગીકારોએ હજુ સુધી ઈંગ્લેન્ડ સામેની સીમિત ઓવરોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
અહીં જાણો ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ-
01 જુલાઈ- પાંચમી ટેસ્ટ- (ફરીથી નિર્ધારિત મેચ)- એજબેસ્ટન, બર્મિંગહામ
07 જુલાઈ - 1લી T20 - સાઉધમ્પ્ટન
09 જુલાઈ - બીજી T20 - બર્મિંગહામ
10 જુલાઈ - 3જી T20 - નોટિંગહામ
12 જુલાઈ - 1લી ODI - લંડન
14 જુલાઈ - બીજી ODI - લંડન
17 જુલાઈ - ત્રીજી ODI - મેન્ટેસ્ટર.
Tags :
captainEnglandGujaratFirstHardikPandyaindvsengT20SeriesTeamIndia
Next Article