ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ ? સૌરવ ગાંગુલી સાથે વાત કરશે રમીઝ રાજા

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના પગલે બંને વચ્ચે ક્રિકેટ મેચને લઈને પ્રતિબંધ છે. એટલે કે તણાવના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સાથે રમવા તૈયાર નથી. ત્યારે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખે  આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ કહ્યું છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની સંભાવના અંગે BCCI પ્રમુખ સૌરવ ગાંà
02:57 PM Mar 15, 2022 IST | Vipul Pandya
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના પગલે બંને વચ્ચે ક્રિકેટ મેચને લઈને પ્રતિબંધ છે. એટલે કે તણાવના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ પાકિસ્તાન સાથે રમવા તૈયાર નથી. ત્યારે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખે  આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ કહ્યું છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની સંભાવના અંગે BCCI પ્રમુખ સૌરવ ગાંà

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના પગલે બંને
વચ્ચે ક્રિકેટ મેચને લઈને પ્રતિબંધ છે. એટલે કે તણાવના પગલે ભારતીય ક્રિકેટ બોર્ડ
પાકિસ્તાન સાથે રમવા તૈયાર નથી. ત્યારે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખે  આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ કહ્યું છે કે તેઓ ભારત અને
પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવાની સંભાવના અંગે
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે. પરંતુ આવું બનવાની
શક્યતાઓ પાતળી લાગે છે. પીસીબીના વડાએ ફરી એકવાર ચાર દેશોની ટૂર્નામેન્ટનું આયોજન
કરવાનો આગ્રહ કર્યો. જેના પર પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેને થોડા મહિના પહેલા
પ્રસ્તાવ મુક્યો છે. રમીઝ રાજાએ આ નિવેદન એવા સમયે આપ્યું છે.


જ્યારે વિશ્વભરમાં રમાઈ રહેલી T20 લીગને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, ખાસ કરીને દ્વિપક્ષીય અને ત્રિકોણીય શ્રેણીના સંચાલનમાં અવરોધો ઉભા
થયા છે. જ્યારે રમીઝ રાજાએ ચાર દેશોની ટુર્નામેન્ટનું આયોજન કરવાની વાત કરી ત્યારે
તેમની દરખાસ્તને ક્રિકેટ બોર્ડ અને મુખ્ય પ્રતિનિધિઓ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી
હતી. પરંતુ રમીઝ રાજાનું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોની
લોકપ્રિયતા એટલી છે કે જબરદસ્ત યુદ્ધ થાય છે.
મીડિયા સાથે વાત કરતા રમીઝ રાજાએ કહ્યું હું બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે ચાર દેશોની ટૂર્નામેન્ટના
આયોજન અંગે વાત કરીશ
. ક્રિકેટનું ભવિષ્ય ત્રિ-રાષ્ટ્ર અને ચાર દેશોની ટૂર્નામેન્ટમાં છે.
તેણે વધુમાં કહ્યું કે
, T20 લીગ દ્વિપક્ષીય ક્રિકેટને નષ્ટ કરી
રહી છે. રાજાના કહેવા પ્રમાણે
મને લાગે છે કે ક્રિકેટ ચાહકોને ભારત-પાકિસ્તાન મેચથી દૂર રાખવા
અયોગ્ય છે. તેમણે કહ્યું
, અમારો કોઈ રાજકીય દૃષ્ટિકોણ નથી,
જો કોઈ સાથી ક્રિકેટર BCCIનું નેતૃત્વ કરી રહ્યો હોય, તો આપણે
એકબીજાનો સંપર્ક કરવો જોઈએ કારણ કે અમને રાજકારણ કેવી રીતે કરવું તે ખબર નથી.


રમીઝ રાજા ચાર દેશોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની યોજના
ધરાવે છે. જેમાં ભારત
, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. જો
કે
, બીસીસીઆઈના સચિવ જય શાહે આનો સખત વાંધો લીધો
હતો અને તેને ટૂંકા સમયમાં પૈસા કમાવવાની પહેલ ગણાવી હતી. જ્યારે ક્રિકેટ
ઓસ્ટ્રેલિયાના વડા નિક હોકલીએ આ અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. રમીઝ રાજા
19
માર્ચે દુબઈમાં યોજાનારી એશિયન ક્રિકેટ
કાઉન્સિલ (
ACC)ની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરશે.

Tags :
GujaratFirstIndiaPakistanMatchPCBpresidentRamizRajasouravganguly
Next Article