ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટમાં શ્રીલંકા સામે ભારત પ્રથમ વખત T20 રમશે, કેવું છે રાજકોટમાં ભારતનું પ્રદર્શન?

IND vs SL 3rd T20 : ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આજે આમને-સામને થશે. મુંબઈમાં ભારતે પ્રથમ ટી20 જીતી હતી. તે જ સમયે, શ્રીલંકાએ પુણેમાં બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. રાજકોટમાં વિજેતા ટીમ સિરીઝ જીતશે. હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ સિરીઝ હારી નથી. તેણે આયર્લેનà«
04:02 AM Jan 07, 2023 IST | Vipul Pandya
IND vs SL 3rd T20 : ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આજે આમને-સામને થશે. મુંબઈમાં ભારતે પ્રથમ ટી20 જીતી હતી. તે જ સમયે, શ્રીલંકાએ પુણેમાં બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. રાજકોટમાં વિજેતા ટીમ સિરીઝ જીતશે. હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ સિરીઝ હારી નથી. તેણે આયર્લેનà«
IND vs SL 3rd T20 : ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આજે આમને-સામને થશે. મુંબઈમાં ભારતે પ્રથમ ટી20 જીતી હતી. તે જ સમયે, શ્રીલંકાએ પુણેમાં બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. રાજકોટમાં વિજેતા ટીમ સિરીઝ જીતશે. હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ સિરીઝ હારી નથી. તેણે આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડને હરાવ્યું છે. હાર્દિક ત્રીજી મેચમાં શ્રીલંકા સામે સિરીઝ જીતવાની હેટ્રિક નોંધાવશે. ભારતીય ટીમ શ્રીલંકા સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર એક પણ T20I શ્રેણી હારી નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પાંચમાંથી ચાર શ્રેણી જીતી છે અને એક શ્રેણી ડ્રો રહી હતી.
રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું છે?
રાજકોટના આ મેદાન પર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર નજર કરીએ તો તે અહીં ચાર ટી-20 મેચ રમી ચૂકી છે. તેમણે 2013માં ઓસ્ટ્રેલિયાને, 2019માં બાંગ્લાદેશને અને 2022માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. 2017માં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયા પાસે આ મેદાન પર હેટ્રિક જીતવાની તક રહેશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 ક્યાં રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 ક્યારે શરૂ થશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે.
આ પણ વાંચો - જીતના મજબુત ઈરાદા સાથે રાજકોટના મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, 28 હજારથી વધારે દર્શકો નિહાળશે મેચ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
3rdT20CricketGujaratFirstIndiaINDVsSLRAJKOTSportsNewsSriLanka
Next Article