રાષ્ટ્ર નિર્માણમાં નારીશક્તિનું અમૂલ્ય યોગદાન : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં (Nation Building) નારીશક્તિના અમૂલ્ય યોગદાનને બિરદાવતા મહિલા સશક્તિકરણ (Women Empowerment) માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. સરકારે આગામી 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર (Special Session) બોલાવ્યું છે, જેમાં 'નારી શક્તિ વંદન અધિનિયમ' લાગુ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા ભાગીદારી (Participation) સુનિશ્ચિત કરવામાં આવશે, જે 2029ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીથી અમલી બનશે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજનીતિમાં મહિલા પ્રતિનિધિત્વની અસમાનતા (Inequality) દૂર કરવી અનિવાર્ય છે અને આ નિર્ણય કરોડો મહિલાઓની આકાંક્ષાઓનું (Aspirations) પ્રતિબિંબ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દેશના વિકાસ માટે મહિલાઓના સશક્ત નેતૃત્વને હવે વધુ સમય સુધી ટાળી શકાય તેમ નથી.

