Iran Israel War : Dubai-Abu Dhabi માં 3000 ગુજરાતી ફસાયા, અક્ષર ટુર્સના ચેરમેને શું કહ્યું?
હાલ દુબઈ-અબુધાબીમાં અંદાજે 3000 ગુજરાતી ફસાયા છે. હુમલા બાદ 1500 મુસાફરોએ બુકિંગ રદ કર્યા છે.
Advertisement
ઇઝરાયેલ-US દ્વારા ઇરાનમાં હુમલા બાદ સ્થિતિ સતત વણસી રહી છે. ત્યારે, આ વચ્ચે ઈરાન અને દુબઈમાં અનેક ભારતીય પ્રવાસીઓ ફસાયા છે. અમદાવાદનાં અક્ષર ટુર્સના ચેરમેન સાથે આ અંગે ખાસ વાતચીત કરવામાં આવી છે. મનીષ શર્માએ જણાવ્યું કે, હાલ દુબઈ-અબુધાબીમાં અંદાજે 3000 ગુજરાતી ફસાયા છે. હુમલા બાદ 1500 મુસાફરોએ બુકિંગ રદ કર્યા છે. ગુજરાત અને દુબઈ વચ્ચે 16 ફ્લાઈટ કાર્યરત છે. તમામ ગુજરાતી પ્રવાસીઓ હાલ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, સ્થિતિ ક્યારે રાબેતા મુજબ થશે તે કહેવું હાલ અઘરું છે. પર્યટકોમાં પ્રિય એવા દુબઈમાં ઘણા પ્રવાસીઓ અટવાયા છે.....જુઓ અહેવાલ.....
Advertisement


