ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ITBPની મહિલા પેટ્રોલિંગ ટીમે ઉત્તરાખંડ બોર્ડર પર 17,000 ફૂટની ઊંચાઈએ કાઢી તિરંગા યાત્રા

દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિવસને ખાસ બનાવવાની પણ પૂરી તૈયારીઓ થઇ રહી  છે. રસ્તાના કિનારેથી લઈને લોકોના ઘરો, વાહનો અને સંસ્થાઓ સુધી, દેશભરમાં તિરંગો તમને જોવા મળશે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાવતો જોવા મળે છે. આ વર્ષે આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે દેશભરમાં ચાલી રહેલા આ ખાસ અભિયાનથી આપણું સૈન્ય કેવી રીતે પાછળ રહી શકે. જણાવી દઇà
02:29 AM Aug 11, 2022 IST | Vipul Pandya
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિવસને ખાસ બનાવવાની પણ પૂરી તૈયારીઓ થઇ રહી  છે. રસ્તાના કિનારેથી લઈને લોકોના ઘરો, વાહનો અને સંસ્થાઓ સુધી, દેશભરમાં તિરંગો તમને જોવા મળશે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાવતો જોવા મળે છે. આ વર્ષે આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે દેશભરમાં ચાલી રહેલા આ ખાસ અભિયાનથી આપણું સૈન્ય કેવી રીતે પાછળ રહી શકે. જણાવી દઇà
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિવસને ખાસ બનાવવાની પણ પૂરી તૈયારીઓ થઇ રહી  છે. રસ્તાના કિનારેથી લઈને લોકોના ઘરો, વાહનો અને સંસ્થાઓ સુધી, દેશભરમાં તિરંગો તમને જોવા મળશે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાવતો જોવા મળે છે. આ વર્ષે આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે દેશભરમાં ચાલી રહેલા આ ખાસ અભિયાનથી આપણું સૈન્ય કેવી રીતે પાછળ રહી શકે. જણાવી દઇએ કે, મંગળવારે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની મહિલા પેટ્રોલિંગ ટીમે ઉત્તરાખંડ બોર્ડર પર 17,000 ફૂટની ઊંચાઈએ તિરંગા યાત્રા નીકાળી હતી. 
આ દરમિયાન ખાસ પેટ્રોલિંગ કરતી ટીમની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન પર આધારિત હતી. પેટ્રોલિંગ ટીમે જણાવ્યું હતું કે આ તિરંગા ઝુંબેશની પહેલનો હેતુ દેશના નાગરિકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે. 
અગાઉ, ITBPના પુરુષ પેટ્રોલિંગે સોમવારે 13,000 ફૂટની ઉંચાઈએ તિરંગા યાત્રા નીકાળી હતી. ITBPએ 2016થી સરહદી ચોકીઓ પર મહિલા કર્મચારીઓને તૈનાત કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં દળમાં લગભગ 2,500 મહિલાઓ સેવા આપી રહી છે. ITBP 3,488 કિમી લાંબી ભારત-ચીન સરહદની રક્ષા કરે છે, જેના કર્મચારીઓ મોટાભાગે ઊંચી ઊંચાઈ અને બરફ અને કઠોર આબોહવાની પરિસ્થિતિઓના મુશ્કેલ પ્રદેશોમાં તૈનાત હોય છે. 
ઉલ્લેખનીય છે કે, આઝાદીના અમૃત મહોત્સવમાં 13 થી 15 ઓગસ્ટ 2022 સુધી તિરંગા ઝુંબેશ ચાલશે. આ અભિયાન દ્વારા સરકારે 20 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓ પણ આમાં સામેલ થશે. લાખો લોકોએ તેમના ઘરો, સોશિયલ મીડિયા પ્રોફાઇલ વગેરેમાં તિરંગો લગાવવાનું શરૂ કરી દીધું છે. હર ઘર તિરંગા ઝુંબેશમાં દરેકની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે, સરકારે એક સત્તાવાર વેબસાઇટ, harghartiranga.com પણ શરૂ કરી છે. અહીં તમે તિરંગાનો ફોટો શેર કરી શકો છો. તમે અભિયાનમાં સહભાગિતાનું પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. આ માટે તમારે વેબસાઈટ પર જઈને PIN A Flag ના વિકલ્પ પર ક્લિંક કરવાનું રહેશે. આ પછી, નામ, મોબાઇલ નંબર અને સ્થાન સબમિટ કરીને, તમે તમારું પ્રમાણપત્ર મેળવી શકો છો. આ ઉપરાંત, તમે આ વેબસાઇટ પરથી ઝુંબેશની થીમ ફોટો પણ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો - ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાઈ તિરંગા યાત્રા, જુઓ આ તસવીરો
Tags :
GujaratFirstHarGharTirangaITBPITBPWomenTroopsTirangaUttarakhand
Next Article