Junagadh : ગિરનારના સિંહોની સુરક્ષા માટે અધિકારીઓ સતત કરી રહ્યા છે મોનીટરીંગ
Junagadh : જૂનાગઢના ગિરનાર અભ્યારણ્યમાં (Girnar Sanctuary) બેબેસીયા રોગ (Babesia Disease)ને કારણે સિંહોના મોતની ઘટનાઓ સામે આવતા વન વિભાગ સતર્ક બન્યો છે અને રોગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે. ગિરનારના DFO દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં અભ્યારણ્યમાં રહેલા તમામ સિંહ સુરક્ષિત છે અને તેમની આરોગ્ય સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બેબેસીયા રોગને લઈને RFO કક્ષાના અધિકારીઓ દ્વારા નિયમિત મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત, આશરે 41 સિંહોને ડી-વોર્મિંગ (De-worming) પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યા છે જેથી રોગચાળો વધુ ન ફેલાય. વન વિભાગે સૂચના આપી છે કે કોઈ સિંહ અથવા સિંહબાળ અશક્ત અથવા બીમાર દેખાય તો તાત્કાલિક રેસ્ક્યૂ (Rescue) કાર્યવાહી કરવામાં આવે. સિંહોની સુરક્ષા અને આરોગ્ય જાળવવા માટે વન વિભાગ દ્વારા ખાસ દેખરેખ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


