Kutch : CM Bhupendrabhai Patelનો કચ્છમાં પ્રચાર, CM સભા યોજી માતાના મઢમાં પહોંચ્યા
મા આશાપુરાના મંદિરે મુખ્યમંત્રીએ દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ લીધા હતા.
Advertisement
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. દરમિયાન, CM ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સભા યોજવવામાં આવી હતી અને ત્યાર બાદ માતાના મઢમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મા આશાપુરાના મંદિરે મુખ્યમંત્રીએ દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ લીધા હતા. રાજાબાવા યોગેન્દ્રસિંહના મુખ્યમંત્રીએ આશીર્વાદ લીધા. મંદિર ખાતે વિશેષ પૂજામાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા. દરમિયાન, આ પૂજામાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા..... જુઓ અહેવાલ....
Advertisement


