ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડોરાંડા કેસમાં લાલુ પ્રસાદ યાદવને મળ્યા જામીન, જાણો શું હતો આ મામલો

લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાંડા કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાલમાં તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિડનીમાં વધતા સંક્રમણને જોતા મુખ્યમંત્રી લાલુને વિશેષ વિમાન દ્વારા દિલ્હીની એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. એઈમ્સમાં લાલુ યાદવને ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિમ્સના મેડિકલ બોર્ડની સલાહ પર તેમને દિલ્હી લાવવામàª
08:42 AM Apr 22, 2022 IST | Vipul Pandya
લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાંડા કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાલમાં તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિડનીમાં વધતા સંક્રમણને જોતા મુખ્યમંત્રી લાલુને વિશેષ વિમાન દ્વારા દિલ્હીની એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. એઈમ્સમાં લાલુ યાદવને ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિમ્સના મેડિકલ બોર્ડની સલાહ પર તેમને દિલ્હી લાવવામàª
લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાંડા કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાલમાં તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિડનીમાં વધતા સંક્રમણને જોતા મુખ્યમંત્રી લાલુને વિશેષ વિમાન દ્વારા દિલ્હીની એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા. એઈમ્સમાં લાલુ યાદવને ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિમ્સના મેડિકલ બોર્ડની સલાહ પર તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા.
ઘાસચારા કૌભાંડ મામલામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સુપ્રીમ કોર્ટ લાલુ યાદવને બે મામલામાં મળેલા જામીન વિરુદ્ધ સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ ઝારખંડ સરકારની અપીલ પર સુનાવણી કરવા સંમત થઈ છે. દુમકા અને ચાઈબાસા ટ્રેઝરી કેસમાં ઝારખંડ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીન વિરુદ્ધ રાજ્ય સરકાર વતી આ અપીલ કરવામાં આવી છે. ઝારખંડ સરકારે કહ્યું છે કે જામીનના આદેશનો આધાર ખોટો છે. લાલુ યાદવે જેલમાં જરૂરી સમય વિતાવ્યો નથી.
થોડા દિવસો પહેલા ઝારખંડ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે જામીન અરજી મંજૂર કરતી વખતે ઝારખંડ હાઈકોર્ટે કહ્યું હતું કે લાલુ યાદવ અડધી સજા ભોગવી ચૂક્યા છે. પરંતુ લાલુ યાદવને બે કેસમાં કુલ 14 વર્ષ જેલવાસ ભોગવવો પડ્યો હતો. તેણે જેલમાં એક વર્ષથી ઓછો સમય પસાર કર્યો છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી અને તેને રદ્દ થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઝારખંડ સરકારે 2021માં દુમકા ટ્રેઝરી કેસ અને 2020માં ચાઈબાસા ટ્રેઝરી કેસમાં આરજેડી નેતા યાદવને મળેલી જામીન સામે અપીલ દાખલ કરી છે. દુમકા ટ્રેઝરી કેસમાં, તે અગાઉ ઝારખંડના બિહારના દુમકા શહેરમાં તિજોરીમાંથી 3.13 કરોડ રૂપિયા ઉપાડવા માટે દોષી સાબિત થયા હતા.
"દુમકા ટ્રેઝરી કેસ"માં 1991 અને 1996ની વચ્ચે બિહારના પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા દુમકા ટ્રેઝરીમાંથી ઉપાડવામાં આવેલા નાણાંનો સમાવેશ થાય છે તે સમયે  લાલુ યાદવ મુખ્યમંત્રી હતા. તેઓ ચાઈબાસા ટ્રેઝરી કેસમાં સમાન આરોપોનો સામનો કરે છે. આ કેસોમાં ઝારખંડ હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. ચારા કૌભાંડ કેસમાં લાલુ યાદવ પર કુલ 5 કેસ ચાલી રહ્યા છે. તેમાંથી 4માં તેને જામીન મળી ગયા હતા પરંતુ પાંચમાં તેને દોષિત ઠેરવવામાં આવતા તેને પાંચ વર્ષની જેલ અને 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાંચીની એક વિશેષ અદાલતે તેમને ચારા કૌભાંડના કેસમાં ડોરંડા  ટ્રેઝરીમાંથી રૂ. 139.35 કરોડની છેતરપિંડી કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.
Tags :
DORANDACASEGujaratFirstJharkhandHighCourtLaluprasadYadavLaluYadavRJD
Next Article