ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના આ પડોશી દેશમાં ભેંસના ભાવમાં વેચાઈ રહ્યા છે સિંહ-વાઘ, આર્થિક તંગીથી છે પરેશાન

પાકિસ્તાનનું એક પ્રાણી સંગ્રહાલય જગ્યાના અભાવે અહીં હાજર એક ડઝન સિંહોની હરાજી કરવાનું મન બનાવી લીધું છે. લાહોરના સફારી ઝૂ દ્વારા સિંહ અને વાઘની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાણકારી ઝૂના ડેપ્યુટી ડાયરેક્ટર તનવીર અહમદ જંજુઆએ આપી છે. પરંતુ આ સમાચાર હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.ડઝન જેટલા સિંહની હરાજી કરાશે જંજુઆએ કહ્યું છે કે આ હરાજીથી તે માત
04:18 PM Aug 09, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનનું એક પ્રાણી સંગ્રહાલય જગ્યાના અભાવે અહીં હાજર એક ડઝન સિંહોની હરાજી કરવાનું મન બનાવી લીધું છે. લાહોરના સફારી ઝૂ દ્વારા સિંહ અને વાઘની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાણકારી ઝૂના ડેપ્યુટી ડાયરેક્ટર તનવીર અહમદ જંજુઆએ આપી છે. પરંતુ આ સમાચાર હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.ડઝન જેટલા સિંહની હરાજી કરાશે જંજુઆએ કહ્યું છે કે આ હરાજીથી તે માત

પાકિસ્તાનનું એક પ્રાણી સંગ્રહાલય જગ્યાના અભાવે અહીં હાજર એક ડઝન સિંહોની હરાજી કરવાનું મન બનાવી લીધું છે. લાહોરના સફારી ઝૂ દ્વારા સિંહ અને વાઘની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાણકારી ઝૂના ડેપ્યુટી ડાયરેક્ટર તનવીર અહમદ જંજુઆએ આપી છે. પરંતુ આ સમાચાર હવે આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.

ડઝન જેટલા સિંહની હરાજી કરાશે 
જંજુઆએ કહ્યું છે કે આ હરાજીથી તે માત્ર ખાલી જગ્યા જ નહીં બનાવી શકે, પરંતુ આ પ્રાણીઓને ખવડાવવાનો માંસનો ખર્ચ પણ નહીં ઉઠાવવો પડે. લાહોરના આ પ્રાણી સંગ્રહાલયમાં હાલ 29 સિંહ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હરાજી 11 ઓગસ્ટના રોજ થશે. આ હરાજીમાં 12 સિંહ વેચવામાં આવશે, જેમની ઉંમર 2 થી 5 વર્ષની વચ્ચે છે. આ ઝૂમાં 6 વાઘ અને બે જગુઆર પણ છે. પર્યાવરણવાદીઓએ આ હરાજીનો વિરોધ કર્યો છે.

સંસ્થાઓએ કર્યો વિરોધ

પર્યાવરણીય સંરક્ષણ અને પશુ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ડબ્લ્યુડબ્લ્યુએફે એમ પણ કહ્યું છે કે આ પ્રાણીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં પણ લઈ જઈ શકાય છે અથવા માદા સિંહણને વંધ્યીકૃત કરી શકાય છે અથવા ગર્ભનિરોધક આપી શકાય છે. આ સંસ્થા સાથે સંકળાયેલી ઉઝમા ખાને જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયો વચ્ચે પ્રાણીઓની આપ-લે અને અનુદાન સમગ્ર વિશ્વમાં થાય છે. પરંતુ જ્યારે પ્રાણી સંગ્રહાલય જેવી સંસ્થાઓ પ્રાણીઓની કિંમત નક્કી કરે છે, ત્યારે તે સ્પષ્ટપણે એક વેપાર છે. 

એક સિંહની કિંમત દોઢ લાખ 
પાકિસ્તાનમાં સિંહ, વાઘ કે આવા અન્ય પ્રાણીઓને રાખવા એ સામાન્ય વાત નથી. તેને રાખવું સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. આ પ્રાણીઓને ઉછેરતા શ્રીમંત માલિકો ઘણીવાર આ પ્રાણીઓના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. સાથે જ ફિલ્મો અને ફોટોશૂટના શૂટિંગ માટે પણ તેમને ભાડે આપે છે. ઝૂના સત્તાવાળાઓએ એક સિંહની કિંમત 1,50,000 પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. પરંતુ તેને આશા છે કે તે હરાજીથી બે લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

પહેલા પણ હરાજી કરવામાં આવી હતી

હરાજી માટે લોકોની પસંદગી પણ પ્રક્રિયા હેઠળ રહેશે. જે લોકો આ હરાજીમાં ભાગ લેવા માંગે છે તેમણે પ્રાંત અધિકારીઓમાં નોંધણી કરાવવી પડશે. સાથે જ તેમણે એ પણ બતાવવું પડશે કે તેઓ સિંહોની સંપૂર્ણ સંભાળ રાખી શકે છે અને તેમને વધુ સારો આશ્રય પણ આપી શકે છે. પ્રાણી સંગ્રહાલયના વેટરનરી ઓફિસર મોહમ્મદ રિઝવાન ખાને જણાવ્યું છે કે ગયા વર્ષે પણ સિંહોની હરાજી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખરીદદારો પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાથી તેને રદ કરવું પડ્યું. એપ્રિલ 2020 માં, કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દેશનું આ એકમાત્ર પ્રાણી સંગ્રહાલય બંધ થવું જોઈએ. કોર્ટે પ્રાણીઓની જાળવણી અને નબળી સુવિધાઓને કારણે આ આદેશ આપ્યો હતો.

Tags :
beingsoldGujaratFirstLionsandtigersNeighboringCountry
Next Article