ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મમતા બેનર્જીએ RSSના કર્યા વખાણ, જાણો શું કહ્યું

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અંગે નિવેદન કરીને રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. તેમણે આડકતરી રીતે સંગઠનની પ્રશંસા કરી અને કહ્યું કે આરએસએસમાં બધા ખરાબ નથી. તેમના નિવેદન બાદ કોંગ્રેસથી લઈને CPI(M) અને AIMIM સુધીના ઘણા વિપક્ષી દળો તેમના પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષે તેમને તકવાદી ગણાવ્યા છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પશ્ચિમ બંગાળનàª
02:58 AM Sep 02, 2022 IST | Vipul Pandya
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અંગે નિવેદન કરીને રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. તેમણે આડકતરી રીતે સંગઠનની પ્રશંસા કરી અને કહ્યું કે આરએસએસમાં બધા ખરાબ નથી. તેમના નિવેદન બાદ કોંગ્રેસથી લઈને CPI(M) અને AIMIM સુધીના ઘણા વિપક્ષી દળો તેમના પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષે તેમને તકવાદી ગણાવ્યા છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પશ્ચિમ બંગાળનàª
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અંગે નિવેદન કરીને રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. તેમણે આડકતરી રીતે સંગઠનની પ્રશંસા કરી અને કહ્યું કે આરએસએસમાં બધા ખરાબ નથી. તેમના નિવેદન બાદ કોંગ્રેસથી લઈને CPI(M) અને AIMIM સુધીના ઘણા વિપક્ષી દળો તેમના પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષે તેમને તકવાદી ગણાવ્યા છે.
 બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે RSS પહેલા એટલું ખરાબ નહોતું. મને નથી લાગતું કે તેઓ (RSS) ખરાબ છે. આરએસએસમાં ઘણા સારા લોકો છે અને તેઓ ભાજપને સમર્થન કરતા નથી.
તેમના નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે.  તેમણે કહ્યું કે  2003 માં પણ, તેમણે આરએસએસને દેશભક્ત કહ્યા હતા અને બદલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને દુર્ગા કહી હતી.
ઉલ્લેખનીય છે કે  ગત વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ બહુમતીવાળા મતવિસ્તારોમાં એક પણ સીટ જીતી શકી ન હતી. તે ચૂંટણીમાં ઓવૈસીએ ટીએમસી અને બીજેપી બંનેના વિરોધમાં પોતાની જાતને ઉભી કરી હતી. આરએસએસ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે તેઓ "હિંદુ રાષ્ટ્ર" ઈચ્છે છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ ગુજરાત રમખાણો બાદ સંસદમાં ભાજપ સરકારનો બચાવ કર્યો હતો. AIMIM વડાએ કહ્યું કે આશા છે કે TMCના મુસ્લિમ ચહેરાઓ તેમની પ્રામાણિકતા અને સુસંગતતા માટે તેમની પ્રશંસા કરશે.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે મમતા બેનર્જીએ આરએસએસની પ્રશંસા કરી હોય. ઓવૈસીની ટિપ્પણીને પુનરાવર્તિત કરતા ચૌધરીએ કહ્યું કે મમતા બેનર્જીએ આરએસએસના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે તત્કાલીન ડાબેરી મોરચાની સરકારને તોડવા માટે તેમનો ટેકો માંગ્યો હતો. અગાઉ પણ મમતાએ આરએસએસનો આભાર વ્યક્ત કર્યો હતો, જેને ભાજપના વૈચારિક પિતા માનવામાં આવે છે.
સીપીઆઈ(એમ) એ પણ મુખ્ય પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે તે આરએસએસ માટે દુર્ગાની ભૂમિકા ભજવી રહી છે. CPI(M)ના નેતા મોહમ્મદ સલીમે કહ્યું કે RSSએ તેમને દુર્ગા કહ્યા અને તે RSS માટે દુર્ગાની ભૂમિકા ભજવી રહ્યા છે.
Tags :
GujaratFirstMamataBanerjeeRSSWestBengal
Next Article