ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmda માં વાવાઝોડાના કારણે કેરીના પાકને નુકસાન

નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
10:33 PM May 23, 2025 IST | Vishal Khamar
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

હવામાન ખાતાની આગાહીના પગલે નર્મદા જિલ્લામાં ગઈકાલે રાતે આવેલા વાવાઝોડા સાથે વરસાદના પગલે ખેતી પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. નર્મદા જિલ્લામાં કેળા, શેરડી મહત્વના પાકમાં નુકસાન ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે. પ્રવીણભાઈએ 12 એકરમાં 1200 જેટલા આંબાનું વાવેતર કર્યું હતું. જેમાં કેસર અને આમ્રપાલી જાતની કેરીના આંબા છે.વાવઝોડાના ખેડૂતને પગલે 5 થી 6 લાખનું નુકસાન થયું છે.પ્રવીણભાઈ એ પોતાના આંબા જીગર તળપદાને 17 લાખમાં ભાડે આપ્યા હતા.પણ જીગરભાઈને પણ હવે આંબા ના પૈસા આપવામાં તકલીફ પડી રહી છે. જેનું કારણ પણ વાવાઝોડું જ છે. વાવાઝોડા પહેલા કેરીનો ભાવ 75 થી 100 રૂપિયે કિલોનો ભાવ હતો.પણ હવે વાવાઝોડા બાદ કેરીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Tags :
damage to farmersdamage to mango cropsGujarat FirstGUJARAT FIRST NEWSNarmada NewsNarmada rainsunseasonal rains
Next Article