મેડિકલ તપાસમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે: Yagnesh Dave
અમરેલીના લેટરકાંડ કિસ્સાને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે એ આક્ષેપો કર્યા છે કે AAP અને કોંગ્રેસએ આ મુદ્દાને રાજકીય એજન્ડાને આગળ ધપાવવા માટે વાપરવાનો પ્રયાસ કર્યો.યજ્ઞેશ દવે મુજબ, યુવતીની મેડિકલ તપાસમાં પ્રથમ દબાણ ન હોવા છતાં, તેણે...
Advertisement
અમરેલીના લેટરકાંડ કિસ્સાને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે એ આક્ષેપો કર્યા છે કે AAP અને કોંગ્રેસએ આ મુદ્દાને રાજકીય એજન્ડાને આગળ ધપાવવા માટે વાપરવાનો પ્રયાસ કર્યો.યજ્ઞેશ દવે મુજબ, યુવતીની મેડિકલ તપાસમાં પ્રથમ દબાણ ન હોવા છતાં, તેણે મેડિકલ તપાસ માટે ઇનકાર કર્યો. એમણે કહ્યું કે, યુવતી મેડિકલ તપાસ માટે પહેલા તૈયાર થઈ હતી, પરંતુ પછી તેનો ઇનકાર થયો.તેમણે કહ્યું કે, જો યુવતી સાથે કોઈ અત્યાચાર થયો હોય, તો સરકાર આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. યજ્ઞેશ દવે એ કહ્યું કે, મેડિકલ તપાસ પછી સચ્ચાઈ ખુલશે, અને ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે.AAP અને કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપો કરતાં એમણે જણાવી દીધું કે, તેઓ રાજકીય ફાયદો મેળવવા માટે આ મામલામાં ગંદી રાજનીતિ કરી રહ્યા છે.
Advertisement


