અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે 7 દેશના પાટીદાર અગ્રણીઓની બેઠક
Ahmedabad : અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આજે પાટીદાર સમાજની એક મહત્વની વૈશ્વિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 7 વિવિધ દેશોના પાટીદાર અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
Advertisement
- અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે વૈશ્વિક પાટીદારોની બેઠક
- વિશ્વના સાત દેશમાંથી પાટીદાર અગ્રણીઓ આવશે ઉમિયાધામ
- વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે સાંજે 4 વાગે પાટીદારોની બેઠક
- બ્રિટનના હેરો શહેરના મેયર અંજના પટેલ ઉપસ્થિત રહેશે
- ઉમિયાધામ શિકાગોના પ્રમુખ પણ રહેશે ઉપસ્થિત
Ahmedabad : અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આજે પાટીદાર સમાજની એક મહત્વની વૈશ્વિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 7 વિવિધ દેશોના પાટીદાર અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આજે સાંજે 4 વાગ્યે યોજાનારી આ બેઠકમાં બ્રિટનના હેરો શહેરના મેયર અંજનાબેન પટેલ તેમજ શિકાગો ઉમિયાધામના પ્રમુખ સહિતના નામાંકિત મહાનુભાવો સહભાગી થઈને સમાજના વૈશ્વિક સંગઠન અને આગામી આયોજનો અંગે ચર્ચા વિચારણા કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય 7 સમંદર પાર વસતા પાટીદારોને એકમંચ પર લાવી સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સહિયારો પ્રયાસ કરવાનો છે, જેના પગલે સંસ્થા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
Advertisement
Advertisement


