Gujarat Sthapana Divas ને લઇ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંદેશ
Gujarat Foundation Day: આજે 1 મે એટલે કે ગુજરાતનો ગૌરવશાળી સ્થાપના દિવસ (Gujarat Foundation Day). વર્ષ 1960 માં આજના દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ભાષાવર રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી. 66મા સ્થાપના વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
Advertisement
- Gujarat Foundation Day ને લઇ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંદેશ
- ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર મહાપુરુષોને વંદન
- રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવું રાજ્યપાલનું આહ્વાન
- સામાજિક સમરસતા સાથે વિકસિત ગુજરાતનો સંકલ્પ
Gujarat Foundation Day: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર મહાપુરુષોને વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સંતો, શૂરવીરો અને કર્મયોગીઓની પવિત્ર ભૂમિ (Sacred Land) છે. રાજ્યપાલે સામાજિક સમરસતા (Social Harmony) સાથે વિકસિત ગુજરાતના સંકલ્પને દોહરાવ્યો હતો. આ ખાસ અવસરે તેમણે રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી (Natural Farming) અપનાવવા માટે વિશેષ આહ્વાન કર્યું હતું, જેથી જમીન અને સ્વાસ્થ્ય બંનેની રક્ષા થઈ શકે. તેમણે દેશ-દુનિયામાં વસતા તમામ ગુજરાતીઓને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


