Bhavnath Mela 2026: "સનાતનની શક્તિ વધી રહી છે, યુવાપેઢી ધર્મ તરફ વળી" ,મોરારીબાપુનો ગુજરાત ફર્સ્ટ સાથે સંવાદ
Bhavnath Mela 2026: મહાશિવરાત્રી (Mahashivratri) ના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ (Junagadh) ની ભવનાથ તળેટીમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ પાવન અવસરે વિશ્વપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ (Morari Bapu) એ ભવનાથના સાનિધ્યમાં ઉપસ્થિત રહીને તમામ શિવભક્તોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
Advertisement
- ભવનાથના મેળામાં (Bhavnath Mela) મોરારીબાપુ (Morari Bapu) ની હાજરી
- 55 વર્ષથી અતૂટ છે શિવ સાથેનો નાતો
- મોરારીબાપુએ ગુજરાત ફર્સ્ટ (Gujarat first) સાથે કર્યો ખાસ 'સનાતન સંવાદ'
- બાપુએ શિવભક્તિ અને સનાતન ધર્મની ગરિમા વિશે અત્યંત મહત્વપૂર્ણ વાતો કરી
Bhavnath Mela 2026: મહાશિવરાત્રી (Mahashivratri) ના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ (Junagadh) ની ભવનાથ તળેટીમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. આ પાવન અવસરે વિશ્વપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ (Morari Bapu) એ ભવનાથના સાનિધ્યમાં ઉપસ્થિત રહીને તમામ શિવભક્તોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ગુજરાત ફર્સ્ટ સાથેના ખાસ 'સનાતન સંવાદ'માં મોરારી બાપુએ શિવભક્તિ અને સનાતન ધર્મની ગરિમા વિશે અત્યંત મહત્વપૂર્ણ વાતો કરી હતી.
છેલ્લા 55 વર્ષથી અતૂટ નાતો
મોરારીબાપુએ ભૂતકાળની સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 55 વર્ષથી અચૂકપણે ભવનાથના મેળામાં આવે છે. ભોળાનાથના સાનિધ્યમાં અને ગિરનારની આ પવિત્ર ભૂમિ પર ભક્તિની સાધનામાં લીન થવાનો આનંદ અનેરો હોય છે. બાપુએ ભવનાથમાં યોજાતા આ મેળાને ભક્તિ અને સનાતનનો અદભૂત સંગમ ગણાવ્યો હતો.
Advertisement
Advertisement


