ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છો ? આ યોજના હેઠળ કરી થઈ જશો પાસ, મુખ્યમંત્રીએ આપી જાણકારી

આજે મધ્યપ્રદેશમાં ધોરણ 10 અને 12 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10માં 40 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જો કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવાની તક આપવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં 10મા અને 12માની પરીક્ષાના પરિણામ જાહેર થયા પહેલા ટ્વિટ કર્યું હતું. પોતાના ટ્વિટમાં શિવરાજે લખ્યું કે મારા પ્રિય બાળકો સફળ
12:09 PM Apr 29, 2022 IST | Vipul Pandya
આજે મધ્યપ્રદેશમાં ધોરણ 10 અને 12 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10માં 40 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જો કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવાની તક આપવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં 10મા અને 12માની પરીક્ષાના પરિણામ જાહેર થયા પહેલા ટ્વિટ કર્યું હતું. પોતાના ટ્વિટમાં શિવરાજે લખ્યું કે મારા પ્રિય બાળકો સફળ

આજે
મધ્યપ્રદેશમાં
ધોરણ
10 અને 12 પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10માં 40 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જો કે
નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નાપાસ થયેલા
વિદ્યાર્થીઓને પાસ થવાની તક આપવામાં આવી છે.
શિવરાજ
સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં
10મા
અને
12માની
પરીક્ષાના પરિણામ જાહેર થયા પહેલા ટ્વિટ કર્યું હતું. પોતાના ટ્વિટમાં શિવરાજે
લખ્યું કે મારા પ્રિય બાળકો
સફળતા અને નિષ્ફળતા ક્યારેક સંજોગો પર
નિર્ભર હોય છે. જો તમે નિષ્ફળ થાવ છો
, તો ચિંતા કરશો નહીં, નિરાશ
થશો નહીં
, 'રૂક
જાના નહીં યોજના
' હજી ચાલુ છે. તૈયારી કર્યા પછી તમે
આ વર્ષે ફરીથી પરીક્ષા આપી શકશો
, તમારું વર્ષ પણ ખરાબ નહીં થાય. મતબલ
કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. શિવરાજસિંહે વધુમાં જણાવ્યું
છે કે પ્રિય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ
સફળતા
અને નિષ્ફળતા બંને સમાટે સમાન લાગણી રાખો. જો તમે નિષ્ફળ થાઓ
તો
ફરી પ્રયાસ કરો. તમામ વિદ્યાર્થીઓને મારા અભિનંદન અને શુભેચ્છાઓ.

 javascript:nicTemp();

આજે
જાહેર થયેલા બોર્ડના પરિણામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જો કે
કેટલાકને
નિષ્ફળતાનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થાય છે
તેમના માટે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની એક યોજના ખુબ જ ઉપયોગી
સાબિત સાબિત થઈ શકે છે. પરિણામ જાહેર થતા પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે
પોતે ટ્વીટ કરીને આ યોજના વિશે જણાવ્યું હતું. વર્ષ
2016માં મધ્યપ્રદેશ સરકાર દ્વારા 'રૂક
જાના નહીં
' યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો
લાભ લઈને
10મા
કે
12મા
ધોરણની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. આ અંતર્ગત
વિદ્યાર્થીઓ જે વિષયોમાં નાપાસ થયા છે તેની પરીક્ષા આપી શકશે. પરીક્ષા પાસ કર્યા
બાદ તે આગળના વર્ગમાં પણ પ્રવેશ મેળવી શકશે.


જણાવી
દઈએ કે રુક જાના નહીં યોજના હેઠળ વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવામાં આવે છે. પરિણામ
જાહેર થયા પછી
વિભાગ દ્વારા તેના વિશે સંપૂર્ણ
માહિતી આપવામાં કરવામાં આવે છે. રુક જાના નહીં યોજનાના લાભો મેળવવા માટે
વિદ્યાર્થીઓએ
મધ્યપ્રદેશ શાળા શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. અહીં
તેઓ ઓનલાઈન ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે.

Tags :
boardresultsCMShivrajSinghChauhanGujaratFirstMPBoardRookjananahi
Next Article