Mudda Ni Vaat : યુનિવર્સિટીઓમાં લોલમલોલ કેમ?
ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' ની વાતમાં આજે વાત કરીશું યુનિવર્સિટીનાં રિપોર્ટ અંગે....સરકારી ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં શિક્ષકોની મોટી ખોટ વર્તાઈ છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટનાં વિશેષ કાર્યક્રમ 'મુદ્દાની વાત' ની વાતમાં આજે વાત કરીશું યુનિવર્સિટીનાં રિપોર્ટ અંગે....સરકારી ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં શિક્ષકોની મોટી ખોટ વર્તાઈ છે. કોલેજમાં અપૂરતા સ્ટાફ અંગે યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કોલેજમાં આચાર્યોની ભારે ઘટથી શિક્ષણની ગુણવત્તા પર પ્રશ્ન ઊભા થયા છે. 47 માંથી 37 ઈજનેરી કોલેજોમાં કાયમી આચાર્ય જ નથી! જ્યારે ડિપ્લોમાં ઇજનેરી કોલેજમાં 31 માંથી માત્ર 2 માં જ કાયમી આચાર્ય છે. ડિપ્લોમા કોલેજોમાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ખાલી છે. ડિગ્રી કોલેજમાં વર્ગ-1 ની પ્રોફેસરની 135 જગ્યામાંથી 73 ખાલી છે. જ્યારે એસો. પ્રોફેસરની 383 માંથી 81 ખાલી છે હોવાની માહિતી છે..... જુઓ અહેવાલ....
Advertisement


