Navsari Heavy Rain : નવસારીના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી, ચારપુલ માર્ગ બંધ
નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
Advertisement
નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. દશેરા ટેકરી વિસ્તાર, જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલ, પ્રજાપતિ આશ્રમ વિસ્તાર સહિતની જગ્યાઓ પર પાણી ભરાતા રોડ-રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી અનુસાર, પ્રજાપતિ આશ્રમથી ચારપુલ જતો માર્ગ બંધ થયો છે. જ્યારે જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પર પાણી ભરાતા નવસારી અને નેશનલ હાઇવે 48ને જોડતો માર્ગ બંધ થયો છે......જુઓ અહેવાલ......

