ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે મનીષ તિવારીએ પણ કહ્યું, હું કોંગ્રેસનો ભાડૂઆત નથી

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે સોનિયા ગાંધીને પાંચ પાનાનો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ રાજકીય ઘટના બાદ રાજ્યસભા સાંસદ મનીષ તિવારીએ ફરી એકવાર પોતાની પાર્ટીને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે  G-23એ પાર્ટીની સ્થિતિ અંગે કોંગ્રેસ સુપ્રીમોને પત્ર લખ્યો હતો, જો તેના પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજે આવી સ્થિતિ સર્જ
06:22 AM Aug 27, 2022 IST | Vipul Pandya
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે સોનિયા ગાંધીને પાંચ પાનાનો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ રાજકીય ઘટના બાદ રાજ્યસભા સાંસદ મનીષ તિવારીએ ફરી એકવાર પોતાની પાર્ટીને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે  G-23એ પાર્ટીની સ્થિતિ અંગે કોંગ્રેસ સુપ્રીમોને પત્ર લખ્યો હતો, જો તેના પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજે આવી સ્થિતિ સર્જ
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે સોનિયા ગાંધીને પાંચ પાનાનો પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ રાજકીય ઘટના બાદ રાજ્યસભા સાંસદ મનીષ તિવારીએ ફરી એકવાર પોતાની પાર્ટીને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે  G-23એ પાર્ટીની સ્થિતિ અંગે કોંગ્રેસ સુપ્રીમોને પત્ર લખ્યો હતો, જો તેના પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત. સાથે જ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે હું ભાડૂઆત નથી, પરંતુ આ પાર્ટીનો સભ્ય છું.
તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા અમારામાંથી 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે પાર્ટીની સ્થિતિ ચિંતાજનક છે. તે ગંભીરતાથી લેવાને પાત્ર છે. આ પત્ર પછી કોંગ્રેસ તમામ વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી. જો કોંગ્રેસ અને ભારત એકસરખું વિચારે તો લાગે છે કે બંનેમાંથી કોઈ એક અલગ રીતે વિચારવા લાગ્યા છે.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ભારત વચ્ચેના તાલમેલમાં તિરાડ આવી ગઈ છે, જે 1885થી અસ્તિત્વમાં છે. આત્મનિરીક્ષણની જરૂર હતી. મને લાગે છે કે 20 ડિસેમ્બર 2020ના રોજ સોનિયા ગાંધીના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સહમતી બની હોત તો  આ સ્થિતિ ના આવી હોત. 
મનીષ તિવારીએ કહ્યું, એવી વ્યક્તિ કે જેની પાસે વોર્ડની ચૂંટણી લડવાનો દરજ્જો પણ નથી, જે વ્યક્તિ એક સમયે કોંગ્રેસના નેતાઓનો પટાવાળો હતો, તે જ્યારે પાર્ટી વિશે જાણકારી આપે છે ત્યારે હસવુ આવે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. 
કોંગ્રેસ સાંસદે કહ્યું  કે, મેં આ પાર્ટીને 42 વર્ષ આપ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે કે અમે આ સંસ્થાના ભાડૂઆત નથી, અમે પાર્ટીના સભ્ય છીએ. હવે જો તમે અમને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો, તો તે બીજી વાત છે. 
Tags :
CongressGujaratFirstManishTiwari
Next Article