વડોદરામાં સત્તા પક્ષે વાત ન સાંભળતા વિપક્ષને ફરિયાદ, Video
વડોદરાના ડભોઈ રોડ પર આવેલા ગણેશનગર અને ઋષિ પાર્કના રહીશોએ વોર્ડ નંબર 16ના ભાજપના પૂર્વ મંત્રી સાથે મળીને વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરી, કારણ કે સત્તાધીશ ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર ફરિયાદ સાંભળવા તૈયાર ન હતા.
Advertisement
Vadodara : વડોદરાના ડભોઈ રોડ પર આવેલા ગણેશનગર અને ઋષિ પાર્કના રહીશોએ વોર્ડ નંબર 16ના ભાજપના પૂર્વ મંત્રી સાથે મળીને વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરી, કારણ કે સત્તાધીશ ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર ફરિયાદ સાંભળવા તૈયાર ન હતા. સ્થાનિકોએ જણાવ્યું કે ભાજપના નેતાઓએ ફોન પર સરખો જવાબ ન આપ્યો, જ્યારે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળવા માટે પણ ઉપલબ્ધ ન હતા. આખરે, નિરાશ થયેલા રહીશોએ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો, જેમણે તાત્કાલિક પગલાં લઈને વરસાદી પાણીની સમસ્યાનું નિરાકરણ શરૂ કરાવ્યું, જેનાથી સ્થાનિકોમાં રાહતની લાગણી પ્રસરી.
Advertisement