Palghar : ભારે વરસાદથી પાલઘરમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, સાંસદ ધવલભાઈ પટેલ યાત્રિકોની મદદે આવ્યા
ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો અટવાયા છે, જેના કારણે વલસાડ સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
Advertisement
ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો અટવાયા છે, જેના કારણે વલસાડ સ્ટેશન પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સાંસદ ધવલભાઈ પટેલ યાત્રિકોની મદદે આવ્યા છે. ફૂડ પેકેટ વિતરણ સાથે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, રેલવે અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. ટ્રેનો વલસાડ–વાપી ખાતે અટકાવી પરત મોકલાઈ હતી. બસ વ્યવસ્થા કરી મુસાફરોને રાહત આપવાની કોશિશ કરવામાં આવી રહી છે.........જુઓ અહેવાલ.......

