Patan : ઝીલીયા ફાર્મ પર તંત્રનું બુલડોઝર ફર્યું, ફાર્મ હાઉસમાં મકાન સિવાયની તમામ જગ્યા તોડી પડાઈ
આ સમગ્ર વિવાદ અને કાર્યવાહીના મૂળમાં વર્ષ 2025માં કરવામાં આવેલી એક મહત્વની અરજી છે. 4 નવેમ્બર 2025ના રોજ મનીષ રાઠોડ (Manish Rathore) નામના જાગૃત નાગરિક દ્વારા પાટણ કલેક્ટરને (Collector of Patan) લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝીલિયા ગામની કિંમતી ગૌચરની જમીન, જેનો સર્વે નંબર 166 છે, તેના પર ભાવેશ રબારી દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને આલીશાન ફાર્મ હાઉસ અને રહેણાંક મકાન ઉભું કરી દેવામાં આવ્યું છે. આ અરજી બાદ વહીવટી તપાસ તેજ બની હતી અને તાજેતરમાં પોલીસ પર થયેલા હુમલાની ઘટનાએ તંત્રને ત્વરિત પગલાં લેવા લેવાની જરુર પડી. મામલતદાર (Mamlatdar), ટીડીઓ (TDO) અને અધિક કલેક્ટરની (Additional Collector) સીધી દેખરેખ હેઠળ આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્રએ મકાન અને શેડ બંનેને આગામી 7 દિવસમાં સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે..... જુઓ અહેવાલ....


