Mehsana કેનાલમાંથી યુવતીના મૃતદેહ મળવા મામલે પાટીદાર અગ્રણી Varun Patel એ ઉઠાવ્યા સવાલ
Mehsana News: મહેસાણાની બુટાપાલડી કેનાલમાંથી 10 દિવસ પૂર્વે રામોસણાની એક યુવતીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, યુવતીની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ આ કેસને હત્યાને બદલે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરી રહી છે.
Advertisement
Mehsana News: મહેસાણાની બુટાપાલડી કેનાલમાંથી 10 દિવસ પૂર્વે રામોસણાની એક યુવતીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતકના પરિવારે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, યુવતીની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ આ કેસને હત્યાને બદલે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરી રહી છે. યુવતીના શરીર પરના ઈજાના નિશાન જોઈને પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. આ સંવેદનશીલ મુદ્દે પાટીદાર અગ્રણી વરુણ પટેલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરીને પોલીસની ઢીલી કાર્યવાહી સામે સીધા સવાલ ઉઠાવ્યા છે અને ન્યાયની માંગ કરી છે. 10 દિવસ વીતી ગયા હોવા છતાં યોગ્ય તપાસ ન થતા પરિવાર અને સામાજિક અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


